SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૬-૧૦૧૦ ૧૦૭ અહીં વંદનની ક્રિયા માત્ર વ્યવહારનયને આશ્રયીને જ સ્વીકારવામાં આવે, અને નિશ્ચયસાપેક્ષ વ્યવહારનયને આશ્રયીને ન સ્વીકારવામાં આવે, તો દીર્ઘપર્યાયવાળા સાધુઓ આલય-વિહારાદિ આચારો શુદ્ધ ન પાળતા હોય તોપણ વંદનીય પ્રાપ્ત થાય; પરંતુ નિશ્ચયસાપેક્ષ વ્યવહારનય પર્યાયવૃદ્ધ પણ તેવા પ્રમાદી સાધુને વંદનીય સ્વીકારતો નથી; પણ જે સાધુઓ સાધ્વાચાર પાળવામાં સતત ઉદ્યમ કરી રહ્યા હોય, ક્વચિત અલના થઈ જાય તોપણ તેની શુદ્ધિ કરીને સંયમમાં ઉસ્થિત રહેનારા હોય, અને દીર્ઘ સંયમપર્યાયવાળા હોવાથી જેઓ સંયમના ઊંચા કંડકોમાં વર્તતા હોવાની સંભાવના હોય, તેવા સાધુને વંદનીય સ્વીકારે છે. તેથી તેવા સાધુને વંદન કરવા દ્વારા પર્યાયથી લઘુ સાધુઓ ભક્તિની અભિવ્યક્તિ કરીને પોતાના સંયમની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. આ સ્થાનમાં પ્રધાન રીતે વ્યવહારનય પ્રવર્તક હોવા છતાં નિશ્ચયસાપેક્ષ હોવાથી ઉભય નયના મતનું આશ્રયણ છે. ૧૦૧દી અવતરણિકા : युक्तं चैतदित्याह - અવતરણિકાર્ય : અને આ યુક્ત છે=પૂર્વગાથામાં કહ્યા મુજબ ઉભય નયને પ્રમાણ સ્વીકારવામાં નિશ્ચયનયની ગૌણતાપૂર્વક વ્યવહારનયના પ્રાધાન્યથી વંદન કરવું એ યોગ્ય છે, એ કથનને કહે છે – ગાથા : ववहारो वि हु बलवं जं छउमत्थं पि वंदई अरहा । जा होइ अणाभिन्नो जाणंतो धम्मयं एयं ॥१०१७॥ અયાર્થ : નં જે કારણથી ના સમન્નો સોટ્ટ જ્યાં સુધી અનભિજ્ઞ હોય=“પોતાના કરતાં પર્યાયથી લઘુ સાધુ કેવલી થયા છે” એમ દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુ જાણતા ન હોય, (ત્યાં સુધી) અર્થ થમે નાતોઆત્રવ્યવહારના વિષયવાળી, ધર્મતાને જાણતા એવા ગર=અહિ કેવલી, છ૩મલ્થ પિછબસ્થને પણ વંત વંદન કરે છે. (તે કારણથી) વેવારો વિકવ્યવહાર પણ વનવં બળવાન છે. * ‘નિશ્ચિત અર્થમાં છે. ગાથાર્થ : જે કારણથી પચચથી વૃદ્ધ સાધુ “આ સાધુને કેવળજ્ઞાન થયું છે” એમ જ્યાં સુધી જાણતા ન હોય ત્યાં સુધી, “પચથી મોટા સાધુને વંદન કરવું ઉચિત છે” એ પ્રકારના વ્યવહારનયની ધર્મતાને જાણનારા કેવળજ્ઞાની, છપ્રસ્થને પણ વંદન કરે છે, તે કારણથી વ્યવહારની પણ બળવાન છે. ટીકા? व्यवहारोऽपि बलवान् वर्त्तते, यत् छद्मस्थमपि सन्तं चिरप्रवजितं वन्दते अर्हन् केवली यावद्भवत्यनभिज्ञः स चिरप्रव्रजित: जानानो धर्मतामेनां-व्यवहारगोचरामिति गाथार्थः ॥१०१७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy