SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તક ‘ાથા પાયિતાનિ' દ્વાર / પેટા દ્વાર: “વિહાર' | ગાથા ૮૬-૮૯૦ ૩૫૧ વળી, સાધુએ પોતાના સંઘયણાદિના ઔચિત્યપૂર્વક વિહાર કરવાનો છે; કેમ કે સંઘયણબળ નબળું હોય અથવા તો જંઘાબળ શિથિલ થયું હોય, તેવા સાધુ વિહાર કરે તો તે સાધુના અન્ય યોગોનો નાશ થાય છે; પરંતુ જંઘાબળ ક્ષીણ ન થયેલ હોય તો પ્રમાદવશ થઈને સાધુએ માસકલ્પાદિમાં પ્રમાદ કરવો જોઈએ નહિ, જેથી સર્વ ભાવો પ્રત્યેનું અપ્રતિબદ્ધ માનસ સદા જીવંત રહે. NI૮૯૬ll અવતરણિકા: पराभिप्रायमाशङ्क्य परिहरति - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે માસાદિ વિહાર વડે સાધુ વિચરે; ત્યાં માસવિહાર એમ ન કહેતાં માસાદિવિહાર” કેમ કહ્યું? એ પ્રકારના પરના અભિપ્રાયની આશંકા કરીને તે આશંકાનો ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં પરિહાર કરે છે – ગાથા : मोत्तूण मासकप्पं अन्नो सुत्तम्मि नत्थि उ विहारो । ता कहमाइग्गहणं? कज्जे ऊणाइभावाओ ॥८९७॥ અન્વયાર્થ : સુત્ત સૂત્રમાં માલધ્વ માસકલ્પને મોજૂUT=મૂકીને મત્રો અન્ય વિદ્યારો-વિહાર નOિ 3 નથી જ, તા તે કારણથી (માસાદિમાં) ગ્રાફમાં આદિનું ગ્રહણ દં? કેમ છે? (તેનો ઉત્તર આપે છે–) બ્લેક કાર્ય હોતે છતે રૂમાવાનો-ન્યૂનાદિનો ભાવ હોવાને કારણે (માસાદિ શબ્દમાં આરિ નું ગ્રહણ છે.) ગાથાર્થ : શાસ્ત્રમાં માસકલ્પ સિવાય અન્ય વિહાર નથી જ, તે કારણથી પૂર્વગાથામાં બતાવેલ માસાદિમાં સદ્ધિ પદનું ગ્રહણ કયા કારણથી છે? તેનો ઉત્તર આપે છે કે કાર્ય હોતે છતે ન્યૂનાદિનો ભાવ હોવાને કારણે માસાદિ શબ્દમાં મારિ પદનું ગ્રહણ છે. ટીકા : ___ मुक्त्वा मासकल्पं मासविहारं अन्यः सूत्रे-सिद्धान्ते नास्त्येव विहारः, तथाऽश्रवणात्, तत् कथं= कस्मादादिग्रहणमनन्तरगाथायाम् ? एतदाशङ्क्याह-कार्ये तथाविधे सति न्यूनादिभावात्-न्यूनाधिकभावात् कारणात् तदादिग्रहणमिति गाथार्थः ॥८९७॥ ટીકાર્ય : સૂત્રમાં=સિદ્ધાંતમાં, માસકલ્પને=માસવિહારને, મૂકીને અન્ય વિહાર નથી જ; કેમ કે તે પ્રકારનું અશ્રવણ છે અર્થાત્ માસવિહાર સિવાય અન્ય વિહાર પણ છે તે પ્રકારે શાસ્ત્રમાં સંભળાતું નથી. તો પૂર્વની ગાથામાં સાવિનું ગ્રહણ કયા કારણથી છે? એની આશંકા કરીને કહે છે – તે પ્રકારનું સંયમવૃદ્ધિ થાય તે પ્રકારનું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy