SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ વ્રતસ્થાપનાવસ્તુકયથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૩૪-૮૩૫ ટીકા : सङ्घात्य(?सङ्घातिमः) इतरो वा एकाङ्गिकः यथालाभसम्भवात् सर्वोऽप्येष समासत उपधिः अनन्तरोदितः पाशकबद्धः अझुषिरो भवति, यद्वाऽऽचरितमत्र विधिसीवनादि, तत् ज्ञेयं सुसाध्वाचरणादित एवेति गाथार्थः ।।८३४॥ નોંધ : ટીકાના પ્રારંભમાં સત્ય: છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે સતિમ હોવું જોઈએ. * “યુધ્ધારરાવતઃ'માં ‘ગારિ' પદથી સુસાધુના ઉપદેશનું ગ્રહણ છે. ટીકાર્થ : યથાલાભનો સંભવ હોવાથી સંઘાતિમ અથવા ઇતર એકાંગિક, એવી સર્વ પણ આ=સાધ્વીઓની પૂર્વમાં કહેવાયેલ, ઉપધિ, સમાસથી પાલકબદ્ધ અને અશુષિર હોય છે, અથવા અહીં=સાધ્વીઓની ઉપધિમાં, વિધિસીવનાદિ વિધિપૂર્વક સીવવું વગેરે, જે આચરાયેલું છે, તે સુસાધુના આચરણ વગેરેથી જ જાણવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુઓને જયારે પ્રમાણોપેત વસ્ત્રનો લાભ થાય ત્યારે તે વસ્ત્ર અસંઘાતિમ=અખંડ હોય છે; અને જયારે વસ્ત્ર પ્રમાણપત ન મળે પરંતુ નાનાં મળે, ત્યારે સાધુને બે-ત્રણાદિ ટુકડાઓ જોડીને વસ્ત્ર પ્રમાણોપેત બનાવવું પડે છે, અને તેવું વસ્ત્ર સંઘાતિમ કહેવાય. આવા પ્રકારની સંઘાતિમ કે એકાંગિક એવી સર્વ પણ સાધ્વીઓની ઉપધિ કસાથી બંધાયેલ અને છિદ્ર વગરની હોય છે અથવા તો સાધ્વીઓની ઉપધિમાં વસ્ત્રને વિધિપૂર્વક સીવવું, વગેરે જે વર્તમાનમાં આચરણ છે, તે સુસાધુઓની આચરણાથી સમજવું. ૮૩૪ અવતરણિકા : उक्त ओघोपधिरौपग्रहिकमाह - અવતરણિતાર્થ : ગાથા ૭૭૧થી ૮૩૪માં જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની તથા આર્યાઓની ગણનાપ્રમાણ અને પ્રમાણમાન દ્વારા ઓઘ ઉપધિ કહેવાઈ. વળી જિનકલ્પિક સાધુઓને ઔપગ્રહિક ઉપધિ હોતી નથી, તેથી હવે સ્થવિરકલ્પિક સાધુઓની અને આર્યાઓની ઔપગ્રહિક ઉપધિને કહે છે – ગાથા : पीढग निसिज्ज दंडगपमज्जणी घट्टए डगलमाई । पिप्पलग सूई नहरणि सोहणगदुगं जहण्णो उ ॥८३५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy