SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ વતસ્થાપનાવસ્તક/યથા પાનવતાન' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ગાથા : एवं (?एयं) चेव पमाणं सविसेसयरं अणुग्गहपवत्तं .। कंतारे दुब्भिक्खे रोहगमाईसु भइअव्वं ॥७९६॥ અન્વયાર્થ : પવિત્ત અનુગ્રહમાં પ્રવૃત્ત એવુંચં ચેપમાdi=આ જ (પાત્રનું) પ્રમાણ વિશે સવિશેષતર થાય છે. વસંતારે હિમ રોહામાસુરકાંતારમાં, દુર્ભિમાં, રોધકાદિમાં મā ભજના કરવી. નોંધ : મૂળગાથામાં પર્વ છે, તેને સ્થાને ટીકા પ્રમાણે પડ્યું હોવું જોઈએ. ગાથાર્થ : અનુગ્રહમાં પ્રવૃત્ત એવું આ જ પાત્રનું પ્રમાણ મોટું થાય છે. જંગલમાં, દુકાળમાં, રોધકાદિમાં વિકલ્પ જાણવો. ટીકા : एतदेव-अनन्तरोदितं प्रमाणं भाजनस्य सविशेषतरं प्रमाणमनुग्रहप्रवृत्तं द्वितीयपदेनेत्यर्थः, आह चकान्तारे दुभिक्षे रोधकादिषु-रोधकतदन्यभयेषु भजितव्यम्-अधिकतरमपि भवतीति गाथार्थः ॥७९६॥ * “ધિવતરપિ''માં “પિ'થી એ જણાવવું છે કે રોધક વગેરે વિષમ સંયોગો હોય ત્યારે સાધુ પાત્ર અધિકતર પણ પ્રમાણવાળું રાખે, તે સિવાય ન રાખે. ટીકાર્ય : દ્વિતીયપદથી=અપવાદથી, અનુગ્રહમાં પ્રવૃત્ત એવું આ જ=પૂર્વમાં કહેવાયેલું જ, ભાજનનું પ્રમાણ સવિશેષતર પ્રમાણવાળું થાય છે. તે અપવાદનાં સ્થાનો જ માદ થી બતાવે છે – કાન્તારમાં=જંગલમાં, દુભિક્ષમાં દુકાળમાં, રોધકાદિમાં=રોધક કે તેનાથી અન્ય ભયોમાં, ભજના કરવી=અધિકતર પણ થાય છેકાલપ્રમાણસિદ્ધ પાત્રથી વધારે મોટા પ્રમાણવાળું પણ પાત્ર થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૭૯૩થી ૭૯૫માં બતાવેલ મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રમાણવાળા પાત્રનું માપ, આપત્તિકાળમાં સાધુઓના અનુગ્રહની પ્રવૃત્તિ નિમિત્તે સવિશેષતર થાય છે. અનુગ્રહપ્રવૃત્તનું તાત્પર્ય ખોલતાં કહે છે કે અપવાદથી અર્થાત્ દુકાળ વગેરે પ્રસંગોમાં સાધુએ બીજા સાધુઓને ઉપકાર કરવા માટે અપવાદથી મોટું પાત્ર રાખવાનું છે; અને અપવાદથી અનુગ્રહમાં પ્રવૃત્ત એવું પાત્ર મોટું રાખવાનાં કારણો જ બતાવે છે – જંગલ હોય, દુકાળ હોય કે રોધક હોય અર્થાત્ નગર શત્રુઓથી ઘેરાયેલું હોય, કે તે સિવાય નગરમાં પૂર આવ્યું હોય, વગેરે ભયો હોય, ત્યારે ગોચરી દુર્લભ થવાથી કેટલાક સાધુઓને આહાર પ્રાપ્ત ન પણ થાય. તે સમયે પોતાના ઉદરના પ્રમાણ કરતાં મોટા પ્રમાણવાળું પાત્ર હોય તો, કોઈક સાધુને કોઈક સ્થાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy