________________
૨૧૮
વતસ્થાપનાવસ્તક/યથા પાનવતાવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા o૮૫-૮૬
ભાવાર્થ :
પૂર્વે બતાવેલ જિનકલ્પિકો, સ્થવિરકલ્પિકો અને આર્યાઓની ઉપધિ પ્રાયશ્ચિત્તાદિ કાર્યના નિમિત્તે ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય, એમ ત્રણ પ્રકારવાળી છે અર્થાત્ સાધુથી કોઈ ઉપકરણ ખોવાઈ જાય કે નાશ પામે તો તેનું પ્રાયશ્ચિત્ત ઉપધિના ઉત્કૃષ્ટાદિ ભેદથી પ્રાપ્ત થાય છે, અને પરિભોગમાં પણ કઈ ઉત્કૃષ્ટ છે અને કઈ જઘન્ય છે તે જણાવવા માટે ઉપધિના ઉત્કૃષ્ટાદિ ત્રણ ભેદો ગ્રંથકાર આગળની ગાથામાં બતાવવાના છે. II૭૮પા
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે પ્રાયશ્ચિત્તાદિ માટે જિનકલ્પિકાદિની ઉપધિના ઉત્કૃષ્ટાદિ ત્રણ ભેદ છે તેથી હવે ઉત્કૃષ્ટાદિ ભેદરૂપ ત્રણ પ્રકાર બતાવે છે –
ગાથા :
उक्कोसओ चउद्धा चउ छद्धा होइ मज्झिमो उवही ।
अवरो चउविहो खलु जिणथेराणं तयं वोच्छं ॥७८६॥ અન્વયાર્થ :
નિરાઇi=જિન-સ્થવિરોની જિનકલ્પિક અને સ્થવિરકલ્પિકોની, ડોસો વદી ઘડી ઉત્કૃષ્ટ ઉપધિ ચાર પ્રકારે, મક્સિમો ઘડે છઠ્ઠા મધ્યમ ચાર (અને) છ પ્રકારે, અવરો નુ વળી અપર જઘન્ય ઉપધિ, વવિદો ચાર પ્રકારે છે, તયં વોઍ તેને હું કહીશ.
ગાથાર્થ : - જિનકલ્પી અને સ્થવિરકલ્પી સાધુઓની ઉત્કૃષ્ટ ઉપધિ ચાર પ્રકારે, મધ્યમ ઉપધિ ચાર અને છ પ્રકારે, વળી જઘન્ય ઉપધિ ચાર પ્રકારે છે, તેને હું કહીશ.
ટીકા :
उत्कृष्ट उपधिः चतुर्द्धा-चतुष्प्रकारः, चतुर्द्धा षड्धा च भवति मध्यम उपधिः, अवरो=इतरोजघन्यः चतुर्विधः खलु जिनस्थविराणां, तकं वक्ष्य इति गाथार्थः ॥७८६॥ ટીકાર્ય :
જિન અને સ્થવિરોની જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની, ઉત્કૃષ્ટ ઉપધિ ચાર પ્રકારે છે, મધ્યમ ઉપધિ ચાર પ્રકારે અને છ પ્રકારે છે જિનકલ્પીઓની ચાર પ્રકારે અને સ્થવિરકલ્પીઓની છ પ્રકારે છે, વળી અપર=ઈતર=જઘન્ય=ઉત્કૃષ્ટ અને મધ્યમથી અન્ય એવી જઘન્ય ઉપધિ, ચતુર્વિધ છે=બંનેની ચાર પ્રકારે છે. તેને=તે ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ ઉપધિને, હું કહીશ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૭૮૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org