SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ વ્રતસ્થાપનાવસ્તુકાયથ પાયિતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “ગચ્છ' | ગાથા ૦૦૪ * “મોડરિમાવવંદ્ધ''માં રહેલ “ગુ' શબ્દનો અર્થ કરવાનો છે અને ‘મર' પદથી મુખ્યનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : અન્યોન્યના=પરસ્પરના, ગુણાદિભાવથી સંબદ્ધ=પ્રધાન અને ઉપસર્જન ભાવથી સંયુક્ત, એવા પરસ્પર ઉપકારને મૂકીને વાસ=એક ગચ્છમાં રહેતા સાધુઓનો વાસ, છત્રવાળા મઠના છત્ર તુલ્ય છે; અર્થાત્ અછત્ર તુલ્ય સ્વાતંત્ર્યપ્રધાન છે, પરંતુ ગચ્છવાસ નથી; કેમ કે તેના=ગચ્છવાસના, ફળનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૬૯૭-૬૯૮માં વર્ણવ્યું એ રીતે, ગચ્છમાં કેટલાક સાધુઓ વિનય કરીને અને કેટલાક સાધુઓ શૈક્ષો પાસે પોતાનો વિનય કરાવીને નિર્જરા પ્રાપ્ત કરે છે, તેમ જ કેટલાક સાધુઓને સારણાદિ થવાથી અને કેટલાક સાધુઓ શૈક્ષ વગેરેને સારણાદિ કરવાથી નિર્જરા પ્રાપ્ત કરે છે. આ રીતે ગચ્છમાં પરસ્પર ઉપકાર થાય છે, અને તે ઉપકાર કોઈ સાધુને પ્રધાનભાવરૂપે હોય છે, તો કોઈ સાધુને ગૌણભાવરૂપે હોય છે. તે આ રીતે કુશલયોગ નાશ પામતો હોય તેવા સાધુની સારણા કરવામાં ન આવે તો તે સાધુનો કુશલયોગ નાશ પામે, અને જો સારણા કરવામાં આવે તો તે સાધુનો કુશલ યોગ રક્ષિત બને છે, જે મુખ્ય ઉપકાર છે; અને નાશ પામતા કુશલયોગવાળા સાધુને સારણા કરનાર સાધુને પણ અન્યના કુશલયોગના રક્ષણમાં નિમિત્ત બન્યા હોવાથી નિર્જરા થાય છે, જે ગૌણ ઉપકાર છે; કેમ કે સારણા કરવાનું નિમિત્ત પ્રાપ્ત ન થાય, તોપણ અન્યને સારણા કરનાર સાધુ પોતાની ભૂમિકાને અનુરૂપ અન્ય ઉચિત પ્રવૃત્તિથી નિર્જરા કરતા હોય છે, છતાં અન્ય સાધુના પ્રમાદને અટકાવવા માટે સારણાની પ્રવૃત્તિ કરે ત્યારે તે સારણાથી પ્રમાદી સાધુને મુખ્ય ઉપકાર અને પોતાને તનિમિત્તભાવરૂપે ગૌણ ઉપકાર થયો કહેવાય. તેથી સારણા કરનાર સાધુને ગૌણરૂપે ઉપકાર થાય છે અને જેની સારણા કરવામાં આવે છે, તે સાધુને પ્રધાનરૂપે ઉપકાર થાય છે. આ રીતે જ વારણા અને ચોદનામાં પણ સમજવું. આ રીતે જે ગચ્છમાં પ્રધાન અને ગૌણ ભાવથી સંબદ્ધ એવો પરસ્પર ઉપકાર થાય છે, તે ગ૭ સુગચ્છ છે; પરંતુ જે ગચ્છમાં આવો પરસ્પર ઉપકાર થતો નથી, તે ગચ્છ છત્રવાળા મઠના છત્ર તુલ્ય છે. આશય એ છે કે મઠમાં રહેનારા સંન્યાસીઓ માટે મઠાધીશ છત્ર જેવો હોય છે, અને મઠાધીશ છત્ર જેવો છે તેથી તે ગચ્છ પણ ઉપચારથી છત્ર જેવો છે. તેથી કોઈ બાહ્ય આપત્તિ આવે તે વખતે મઠમાં રહેનારાઓને છત્ર જેવા મઠાધીશથી રક્ષણ મળે છે; પરંતુ મઠાધીશથી મઠની કોઈ ગુણવૃદ્ધિ થતી નથી, ફક્ત મઠાધીશને કારણે તે મઠમાં રહેનારાઓ બાહ્ય આપત્તિથી સુરક્ષિત બને છે. આમ, સારણાદિથી રહિત ગચ્છ તે મઠ જેવો જ છે; કેમ કે તેવા ગચ્છમાં શિષ્યની શારીરિક આદિ આપત્તિઓની ગુરુ ચિંતા કરે છે, પરંતુ તે ગચ્છમાં વસવાટ પરસ્પર એકબીજાની ગુણવૃદ્ધિનું કારણ બનતો નથી. તેથી આવો ગચ્છા વળી અછત્ર તુલ્ય છે અર્થાત્ પરસ્પર ગુણવૃદ્ધિનું કારણ નહીં બનતો હોવાથી છત્ર વગરનો છે અર્થાત્ ગુણવૃદ્ધિના કારણભૂત એવા છત્ર વગરનો છે; તેથી તે ગચ્છમાં વસનાર સાધુઓ સ્વાતંત્ર્યપ્રધાન છે. આથી તેવા ગચ્છમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy