SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વતસ્થાપનાવસ્તકIયથા પાતયવ્યાન' દ્વારા પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૯૮-૬૯૯ ૧૨૧ છે. એ રીતે જ અહિતમાં પ્રવૃત્તિ કરતા કેટલાક સાધુઓનું વારણ અન્ય સાધુ દ્વારા કરાય છે અને કેટલાક સાધુઓની અહિતની પ્રવૃત્તિનું વારણ થાય છે. તેથી જેમણે વારણ કર્યું અને જેમનું વારણ થયું તે બંનેને લાભ જ થાય છે. વળી સંયમમાં યત્ન કરતા પણ સાધુઓ સંયમના અનુષ્ઠાનમાં અધિક-અધિકતર યત્ન કરતા ન હોય તો, કેટલાક સાધુઓ તેઓના ગુણસ્થાનકની વૃદ્ધિ થાય અર્થાત તે સાધુઓ અધિક-અધિક ઉચિત કૃત્યો કરીને નિર્લેપતાના પરિણામની વૃદ્ધિ કરે, તે રીતે પ્રેરણા પણ કરે છે. આમ, શુદ્ધ આશયથી ચોદના કરનાર સાધુને અને જેમણે અન્યએ કરેલ ચોદના સ્વીકારી તે સાધુને, એમ બંનેને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે ગચ્છમાં વિનય, સારણા, વારણા અને ચોયણાથી સ્વ-પરના ફળની સિદ્ધિ થાય છે. અર્થાત્ વિનય કરનારને અને કરાવનારને તે જ રીતે સારણાદિ કરનારને અને સારણાદિ જેમને થઈ છે તેમને, એમ સર્વ સાધુઓને નિર્જરારૂપ લાભ થાય છે. આથી ગુરુના પરિવારરૂપ ગચ્છમાં પરસ્પર સાધુઓ એકબીજાની નિર્જરાનું કારણ બને છે. II૬૯૮ અવતરણિકા : ગાથા ૬૯૬માં કહેલ કે ગચ્છમાં વસતા સાધુઓને વિનયથી વિપુલ નિર્જરા થાય છે અને સારણાદિ દ્વારા દોષોની પ્રતિપત્તિ થતી નથી, તે વાતને ગાથા ૬૯૭-૬૯૮માં સ્પષ્ટ કરી. હવે આ ગચ્છવાસ મોક્ષનું કારણ છે, એમ બતાવવા દ્વારા ગાથા ૬૯૬થી ૧૯૮ના કથનનું નિગમન કરતાં કહે છે – ગાથા : अण्णोण्णाविक्खाए जोगम्मि तहिं तहिं पयट्टतो । निअमेण गच्छवासी असंगपयसाहगो णेओ ॥६९९॥ અન્વયાર્થ : મvouritવવા=અન્યોન્ય અપેક્ષા વડે હં હં નોમિતે તે યોગમાં પટ્ટનો પ્રવર્તતા કચ્છવાસી ગચ્છવાસી ગચ્છમાં વસનાર સાધુ, નિગમે નિયમથી અસંગાપથદો =અસંગપદના સાધક =જાણવા. ગાથાર્થ : પરસ્પરની અપેક્ષા વડે તે તે વિનાયાદિ ચોગમાં પ્રવર્તતા છતા ગચ્છવાસી સાધુ નક્કી અસંગપદના સાધક જાણવા. ટીકા : ___ अन्योऽन्यापेक्षया उक्तन्यायेन योगे तत्र तत्र विनयादौ प्रवर्त्तमानः सन् नियमेन गच्छवासी साधुः असङ्गपदसाधको ज्ञेयः, असङ्गो-मोक्ष इति गाथार्थः ॥६९९॥ ટીકાર્ચ : ઉક્ત ન્યાયથી=ગાથા ૬૯૭-૬૯૮માં કહેવાયેલ પદ્ધતિથી, અન્યોન્યની અપેક્ષા વડે=પરસ્પર સાધુની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy