SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવક “આવયકાદિ દ્વાર/ ગાથા પર ગાથા : संवेगसमावण्णा विसुद्धचित्ता चरित्तपरिणामा । चारित्तसोहणट्ठा पच्छा उ कुणंति ते एअं ॥४५२॥ અવયાર્થ : સંસમાવUST=સંવેગથી સમાપન્ન, વિશુદ્ધીવત્તા=વિશુદ્ધ ચિત્તવાળા સાધુઓ પિત્તપરિપામા= ચારિત્રના પરિણામને કારણે વારિત્તસોના ચારિત્રના શોધન અર્થે (કાયોત્સર્ગમાં અતિચારોને ચિત્તમાં ધારણ કરે છે, એ પ્રકારે પૂર્વ ગાથા સાથે જોડાણ છે.) પછી વળી પછી દોષોને ચિત્તમાં ધારણ કર્યા પછી, તેzતેઓ સાધુઓ, મં=આને=આગળની ગાથામાં કહેવાશે એને, પતિ કરે છે. ગાથાર્થ : સંવેગથી સમાપન્ન, વિશુદ્ધ ચિત્તવાળા સાધુઓ ચારિત્રના પરિણામને કારણે ચાસ્ત્રિના શોધન અર્થે કાયોત્સર્ગમાં અતિચારોને ચિત્તમાં ધારણ કરે છે. વળી દોષોને ચિત્તમાં ધારણ કર્યા પછી સાધુઓ આગળની ગાથામાં કહેવાશે એને કરે છે. ટીકાઃ - संवेगसमापन्ना-मोक्षसुखाभिलाषमेवानुगताः, विशुद्धचित्ताः रागादिरहितचित्ताः चारित्रपरिणामादिति चारित्रपरिणामात् कारणात् चारित्रशोधनार्थ चारित्रनिर्मलीकरणाय, पश्चात्तु-दोषचित्तधारणानन्तरं कुर्वन्ति તે-સાથa: તવક્ષ્યામિતિ થાર્થ: In૪હરા ટીકાર્ય : | સંવેગથી સમાપન્ન=મોક્ષસુખના અભિલાષને જ અનુગત, વિશુદ્ધ ચિત્તવાળા=રાગાદિથી રહિત ચિત્તવાળા, સાધુઓ, ચારિત્રના પરિણામરૂપ કારણથી ચારિત્રના શોધન અર્થે ચારિત્રને નિર્મલ કરવા માટે, અતિચારોને ચિત્તમાં ધારણ કરે છે, એમ અન્વય છે. વળી પાછળથી દોષો ચિત્તમાં ધારણની અનંતર=દોષોને ચિત્તમાં ધારણ કર્યા પછી, તેઓ સાધુઓ, આને-વફ્યુમાણને આગળમાં કહેવાનાર કથનને, કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાંજના પ્રતિક્રમણમાં સાધુઓ ગુરુ સાથે કેવા પ્રકારના પરિણામપૂર્વક અતિચારોનું ચિંતવન કરે છે? તે બતાવવા કહે છે કે સાધુઓએ સંવેગના પરિણામને પ્રાપ્ત કરેલા હોય છે, માટે કઈ રીતે યત્ન કરવાથી પ્રમાદને કારણે થયેલ અતિચારોના સંસ્કારો નાશ પામે, અને પ્રમાદથી બંધાયેલ કર્મો પણ નાશ પામે? એ પ્રકારના ઉપયોગપૂર્વક સાધુઓ અતિચારોનું ચિંતવન કરે છે. વળી, સાધુઓ અતિચારના ચિંતવનકાળમાં રાગાદિથી રહિત ચિત્તવાળા હોવાથી જે અતિચારો જે રીતે સેવાયેલા હોય, તે અતિચારોને તે રીતે સમ્યગૂ ઉપસ્થિત કરીને પોતાના દોષોની જુગુપ્સા કરે છે, પરંતુ જો સાધુનું ચિત્ત રાગાદિથી આકુળ હોય તો પોતે જે દોષો કર્યા છે તેને યથાર્થ ચિંતવે નહિ, તેમ જ પોતાની જાતને મનાવી લે કે “તેવા સંયોગો હતા માટે મારાથી અમુક દોષનું સેવન કરાયું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy