________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “Úડિલ' દ્વાર / ગાથા ૪૪૧
૫૫
ગાથા :
अहियासिआ उ अंतो आसन्ने मज्झ दूर तिन्नि भवे ।
तिण्णेव अणहियासी अंतो छच्छच्च बाहिरओ ॥४४१॥ અન્વયાર્થ:
સંતો અંદરમાં જ વસતિની અંદર જ, માસન્ને મડ઼ ટૂઆસન્નમાં, મધ્યમાં, દૂરમાં દિયાતિ તિરિ ભવે અધિકાસિકા ત્રણ થાય અતિસહનશીલ ભૂમિઓ ત્રણ થાય, મહિયારી તિવ=અનધિકાસિકા ત્રણ જ થાય અનતિસહનશીલ ભૂમિઓ ત્રણ જ થાય, (આ રીતે) સંતો અંદર છ=વસતિની અંદર છ ભૂમિઓ થાય, છશ્વ વાદિરો અને છ બહાર=વસતિની બહાર છ ભૂમિઓ થાય. ગાથાર્થ :
વસતિની અંદર જ નજીક, દૂર અને મધ્યમાં અતિસહનશીલ ત્રણ ભૂમિઓ અને અનતિસહનશીલ ત્રણ ભૂમિઓ થાય છે. આ રીતે વસતિની અંદરની છે અને બહારની છે, એમ કુલ બાર ભૂમિઓ થાય છે. ટીકા? ___ अतिसहनशीला: अन्तः मध्य एव च वसतिपरिकरस्य आसन्ने मध्ये दूरे च तिस्त्रो भवन्ति, तिस्त्र एवानतिसहनशीलाः, इत्येवमन्तः षट्, षट् च बहिरिति गाथार्थः ॥४४१॥ ટીકાર્ય :
અને અંદર=વસતિના પરિકરની મધ્યમાં જ, નજીકમાં, વચમાં અને દૂરમાં ત્રણ=અનતિસહનશીલ ભૂમિઓથી કંઈક દૂર એવી ત્રણ, અતિસહનશીલ ભૂમિઓ થાય છે, ત્રણ જ અતિસહનશીલ ભૂમિઓથી કંઈક નજીક એવી નજીકમાં, વચમાં અને દૂરમાં એમ ત્રણ જ, અનતિસહનશીલ ભૂમિઓ થાય છે. આ રીતે અતિસહનશીલ અને અનતિસહનશીલ ત્રણ ત્રણ ભૂમિઓ થાય છે એ રીતે, અંદર છે અને બહાર છ થાય=વસતિના પરિકરની અંદર છ ભૂમિઓ થાય અને વસતિના પરિકરની બહાર છ ભૂમિઓ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાધુને રાત્રિના સમયે ક્યારેક મળ કે મૂત્ર વોસિરાવવું પડે તેમ હોય ત્યારે, જો આગાઢ કારણ હોય તો વસતિના પરિકરમાં જ સાધુ મળાદિ વોસિરાવે છે, અને આગાઢ કારણ ન હોય તો વસતિના પરિકરથી બહાર જઈને મળાદિ વોસિરાવે હોય છે. તેથી જો સંજ્ઞાના વેગથી પીડા નહીં પામેલા જે સાધુઓ સુખેથી જ જવા માટે સમર્થ હોય તેવા અતિસહનશીલ સાધુઓ આગાઢ કારણમાં વસતિની અંદરમાં પણ દૂરનાં ત્રણ સ્થાનોમાં મળાદિ વોસિરાવે, અને સંજ્ઞાના વેગથી પીડા પામેલા જે સાધુઓ દૂર સુધી સુખેથી જવા માટે સમર્થ ન હોય તેવા અતિસહનશીલ સાધુઓ આગાઢ કારણમાં વસતિની અંદરમાં જ નજીકનાં ત્રણ સ્થાનોમાં મળાદિ વોસિરાવે; તેમ જ આગાઢ કારણ ન હોય તો અતિસહનશીલ સાધુ વસતિની બહારનાં દૂરનાં ત્રણ સ્થાનોમાં અને અનતિસહનશીલ સાધુ વસતિની બહારનાં નજીકનાં ત્રણ સ્થાનોમાં મળાદિ વોસિરાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org