SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રતિદિનક્રિયાવસ્તુકા‘મા’થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૧-૬૦૨ શિષ્યવિષયક અદુષ્ટ આલંબનવાળો પરિણામ જ સર્વત્ર શોભન છે, આગળની ગાથામાં કહેવાશે એ ભગવાન વડે કહેવાયું છે. ટીકા : शिष्यस्य भवत्यत्र न दोष इति योगः, अपि तु परिणामविशुद्धेः कारणाद् गुण एव शिष्यस्य, स्वविषयो ह्यदुष्टालम्बन एष एव–परिणामः शस्तः शोभन: सर्वत्र वस्तुनि, भणितमिदं वक्ष्यमाणं भगवद्भिरिति गाथार्थः ॥६०१॥ ટીકાર્ય અહીં પૂર્વગાથામાં કહ્યા મુજબ બાહ્ય ચણ હોતે છતે આંતર ચરણના અભાવવાળા પણ ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવાના વિષયમાં, શિષ્યને દોષ થતો નથી, પરંતુ પરિણામની વિશુદ્ધિરૂપ કારણથી શિષ્યને ગુણ જ થાય છે; જે કારણથી સર્વ વસ્તુમાં સ્વવિષય પોતાના વિષયક અદુષ્ટ આલંબનવાળો આ જ=પરિણામ જ, શસ્ત છે=શોભન છે. આ=વસ્થમાણ આગળમાં કહેવાનાર,ભગવાન વડે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: છદ્મસ્થ સાધુ ચારિત્રની બાહ્ય વિશુદ્ધ આચરણા દ્વારા ગુરુના શુભ કે અશુભ અંતરંગ ભાવોનું અનુમાન કરી શકે છે. આથી જયાં બાહ્ય રીતે સંયમને અનુકૂળ વિશુદ્ધ આચારોનું પાલન થતું હોય, ત્યાં અવશ્ય સંયમનો પરિણામ છે, એ પ્રકારનું અનુમાન કરીને ચારિત્રના બાહ્ય વિશુદ્ધ અનુષ્ઠાનવાળા ગુરુને સુગુરુ તરીકે સ્વીકારીને તેઓની પાસે શાસ્ત્રાભ્યાસ કરતા શિષ્યના પરિણામની વિશુદ્ધિ વર્તે છે; કેમ કે તે શિષ્ય જિનાજ્ઞાનું સ્મરણ કરીને ચારિત્રના બાહ્ય વિશુદ્ધ આચરણવાળા સાધુ સાથે સુગુરુ તરીકેનો વ્યવહાર કરે છે. તેથી ક્યારેક બાહ્ય વિશુદ્ધ ચારિત્રવાળા પણ ગુરુમાં ભાવથી ચારિત્ર ન હોય તોપણ તેઓની પાસે ભણનાર છદ્મસ્થ શિષ્યને કોઈ દોષ થતો નથી; કેમ કે ભણનાર શિષ્યનો આશય જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાનો છે. પરંતુ જો બાહ્ય રીતે યથાર્થ આચરણ કરનાર ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરનાર શિષ્યને કોઈક નિમિત્તથી જ્ઞાત થાય કે આ ગુરુ ચારિત્રના પરિણામ વગરના છે, છતાં તે શિષ્ય તે ગુરુ પાસે શ્રુતાભ્યાસ કરે, તો તે શિષ્યના પરિણામની વિશુદ્ધિ રહેતી નથી. માટે નક્કી થાય કે જ્યાં સુધી ગુરુમાં બાહ્ય કોઈ નિમિત્ત દ્વારા અંતરંગ ચારિત્રના અભાવનો નિર્ણય ન થયો હોય ત્યાં સુધી ચારિત્રની બાહ્ય યથાર્થ આચરણાથી જ ગુરુમાં ચારિત્રના પરિણામનું અનુમાન કરીને તેવા ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવારૂપ પ્રવૃત્તિથી શુભ ભાવની વૃદ્ધિ થાય છે. ૬૦૧ી. અવતરણિકા: किं तदित्याह - અવતરણિતાર્થ : તે શું છે? અર્થાત્ પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સર્વત્ર અદુષ્ટ આલંબનવાળો પોતાનો પરિણામ જ શોભન છે, અને તેમાં સાક્ષી રૂપે કહ્યું કે ભગવાન વડે આ કહેવાયું છે, તે કથન શું છે? એથી ભગવાન વડે જે કહેવાયું છે, તેને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy