SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૦૯ ૨૩છે. ગાથાર્થ : અને સંભુક્ત થાય, તોપણ સંવાસ કરાવવા માટે અનાચરણયોગ્ય છે. હવે તે અયોગ્યને જે સંવાસ કરાવે છે, સંવાસ કરાવતા ગુરને અયોગ્યને ઉપાધ્યાય સાથે ભોજન કરાવવાથી થતા દોષો અનિવારિત છે. ટીકાઃ सम्भुक्तः स्यात् कथञ्चिदुपाध्यायादिना, संवासयितुं स्वसमीपेऽनाचरणयोग्य: अनासेवनीयः, य: कश्चित् तं संवासयतः आत्मसन्निधौ, दोषा अनिवारिता भवन्त्येवेति भावः, पूर्वाः येऽसंवास्यं संवासयत (2થે સંમોર્ચ સંમોનિયત:) તિ મથાઈ: ૧૭૨ નોંધ: (૧) આ ગાથાની ટીકામાં ‘પૂર્વા: વેડસંવાશે સંવાસથત:' છે, તેને સ્થાને “પૂર્વી: વેડર્સમોર્ચ સંમોગથત:' પાઠ હોય, તેમ ભાસે છે. (૨) પ૭પથી પ૦૯ સુધીની મૂળગાથામાં રહેલ ‘ત્તિ' સ્વરૂપનો પરામર્શક છે, એમ બૃહલ્પસૂત્ર ભાષ્ય ગાથા પ૧૯૦ માં કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈક રીતે અનાભોગાદિથી જિનમતમાં પ્રતિકૃષ્ટ જીવ પ્રવ્રાજિત થાય, તોપણ તે પ્રવાસનને અયોગ્ય છે. આમ ‘ત્તિ' પદ પ્રવ્રાજિત જીવની અયોગ્યતાનું સ્વરૂપ દર્શાવે છે. તેથી તે પ્રવ્રાજનને અયોગ્ય એવો જીવ મુંડનને પણ અયોગ્ય છે, એમ સંવાસન સુધી સર્વત્ર 'ત્તિ' પદનું યોજન કરવું. (૩) “નામો રિ'માં “મરિ' પદથી સહસત્કારનું ગ્રહણ છે. ટીકાર્ચઃ કોઈક રીતે ઉપાધ્યાય વગેરે સાથે સંમુક્ત થાય =અયોગ્ય જીવ સંભોજન કરાયેલો થાય, તોપણ પોતાની પાસે સંવાસ કરાવવા માટે અનાચરણયોગ્ય છે=અનાસેવનીય છે. હવે જે કોઈ તેને તે અયોગ્યને, આત્માની સંનિધિમાં પોતાની પાસે, સંવાસ કરાવે છે, સંવાસ કરાવતા એવા ગુરુને દોષો અનિવારિત થાય જ છે, એ પ્રકારે ભાવ છે. તે અનિવારિત દોષો કયા છે? તે દર્શાવે છે – અસંભોજ્યને સંભોજન કરાવતાને સંભોજન કરાવવા માટે અયોગ્ય જીવને ઉપાધ્યાયાદિ સાથે ભોજન કરાવતા એવા ગુરુને, પૂર્વ એવા જે દોષો છે, તે દોષો સંવાસ કરાવવા માટે અયોગ્ય જીવને પોતાની પાસે સંવાસ કરાવનાર ગુરુને થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અનાભોગાદિથી ગુરુએ અયોગ્ય જીવનું પ્રવ્રાજન કર્યું હોય, મુંડન કર્યું હોય, શિક્ષણ આપ્યું હોય, ઉપસ્થાપન કર્યું હોય, સંભોજન પણ કરાવ્યું હોય અને સંવાસ દ્વારા પાછળથી તેની અયોગ્યતા ગુરુએ જાણી હોય, તો તે અયોગ્ય શિષ્યને પોતાની પાસે રખાય નહીં. આમ છતાં જે ગુરુ તે અયોગ્યને પોતાની સાથે રાખે છે તે ગુરુને, સંભોજન કરવા માટે અયોગ્ય શિષ્યને ઉપાધ્યાયાદિ સાથે સંભોજન કરાવનાર ગુરુને જે દોષો થાય છે, તે દોષો પ્રાપ્ત થાય છે અર્થાત્ તે ગુરુનું પોતાનું ચારિત્ર નાશ પામે છે. પ૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy