SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રતિદિનકિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પર૫-૫૨૬ ભાવાર્થ: આગારીપૂર્વક પચ્ચક્ખાણ ગ્રહણ કરવાથી પ્રથમભાવની બાધા થતી નથી અર્થાત્ દીક્ષા ગ્રહણકાળમાં સામાયિક ઉચ્ચરાવતી વખતે સાધુને જે સર્વત્ર નિરાશસભાવ પ્રગટ થયો હતો, તે રૂપ પ્રથમભાવની બાધા આગારોને કારણે થતી નથી. વળી કારણે અપવાદના આશ્રયણમાં પ્રથમભાવની વિશેષથી સિદ્ધિ છે અર્થાત્ સામાયિકના પરિણામની વિશેષથી નિષ્પત્તિ છે; કેમ કે પચ્ચકખાણના ગ્રહણકાળમાં સાધુ આહાર પ્રત્યે નિરપેક્ષ હોવા છતાં જાણતા હોય છે કે નિરભિવંગભાવની પૂર્ણતારૂપ વીતરાગતા હજી મારામાં પ્રગટી નથી, પરંતુ અત્યારે સંયમની યતનાના બળથી મારામાં નિરપેક્ષભાવ જીવે છે અને ક્રમસર વધે છે. આથી તેવા સંયોગોમાં નિરપેક્ષભાવની વૃદ્ધિના ઉપાયભૂત એવા આગારીપૂર્વકના પચ્ચકખાણનું આશ્રયણ કરવું મારે માટે ઉચિત છે. આથી સાધુ આગારોપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરીને નિરભિમ્પંગ ભાવની વૃદ્ધિ જયારે આગારોના સેવનથી થતી દેખાય ત્યારે આગારોનું સેવન પણ કરે છે, પરંતુ શરીરના સુખાર્થીપણાથી કે ભોગની લાલસાથી સાધુ આગારોનું ગ્રહણ કે સેવન કરતા નથી. આથી સાધુ જો આગારો રહિત પચ્ચકખાણ ગ્રહણ કરે તો તે સાધુનો સામાયિકનો પરિણામ મૂઢતાથી યુક્ત બને છે અર્થાત્ આગારો વિના પચ્ચખાણ લેનાર સાધુને સર્વ પદાર્થોમાં ભોગની લાલસા નથી, પરંતુ પરમાર્થ જાણવાની શક્તિ નહીં હોવાથી પરમાર્થને નહીં જોવારૂપ મૂઢતાને કારણે તે સાધુ સામાયિકના પરિણામની વૃદ્ધિની ઉપેક્ષા કરીને ભગવાનના વચનથી નિરપેક્ષ પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે. આથી તેવા સાધુનું પચ્ચક્ખાણનું પાલન અણિશુદ્ધ નહીં થવાથી તેઓ પચ્ચખાણ દ્વારા પણ અપ્રમાદની વૃદ્ધિ કરી શકતા નથી; જ્યારે વિવેકી સાધુ ભગવાનના વચનાનુસાર આગારીપૂર્વકનું પચ્ચકખાણ ગ્રહણ કરીને અપ્રમાદની વૃદ્ધિ કરે છે, તેમ જ ઉચિતકાળે આગારોનું સેવન કરીને પણ ઉચિત ભાવોની વૃદ્ધિ કરે છે, જેથી તેઓનું આગારીપૂર્વકનું પચ્ચખાણ સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ બને છે. પરપી. અવતરણિકા : ગાથા ૫૧૮થી પરપમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે પચ્ચકખાણમાં રખાતા આગારો સામાયિકના વધક નથી, પરંતુ સામાયિકના વર્ધક છે. હવે કોઈને શંકા થાય કે પચ્ચખાણમાં ત્રિવિધાદિ આહારનો ત્યાગ કરવામાં આવે તો જે આહારનો ત્યાગ કર્યો ન હોય તે આહાર પ્રત્યે જીવને પક્ષપાતનો પરિણામ વર્તે છે, જેથી સામાયિકના પરિણામનો બાધ થાય. તેના નિરાકરણ માટે કહે છે – ગાથા : न य सामाइअमेअं बाहइ भेअगहणे वि सव्वत्थ । समभावपवित्तिनिवित्तिभावओ ठाणगमणं व ॥५२६॥ અન્વયાર્થ : ટાઈમut a =અને સ્થાનથી ગમનની જેમ=વસતિરૂપ સ્થાનથી સાધુના બહાર ગમનની જેમ, સવ્વસ્થ સર્વત્ર=અશનાદિ ચારેય પ્રકારના આહારમાં, સમવિપવિત્તિનિવિત્તિમાંવમો સમભાવ વડે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ભાવ હોવાથી સારો વિકભેદનું ગ્રહણ હોતે છતે પણ=પચ્ચખાણમાં આહારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy