SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પ૨૪ કરતા હોય છે. તેથી નિરભિધ્વંગ પરિણામની વૃદ્ધિ માટે પચ્ચકખાણમાં રાખેલ આગારો મુનિના સામાયિકના પરિણામનો બાધ કરતા નથી; કેમ કે આગારનાં સ્થાનોમાં ભોગ્ય પદાર્થોનો અભિલાષ હોય તો સમભાવનો બાધ થાય છે. વળી, નિરભિધ્વંગ પરિણામવાળા મુનિ નિઃસ્પૃહતાની વૃદ્ધિ માટે ઉપવાસનું પચ્ચકખાણ કરે ત્યારે ઉપવાસમાં આગારો રાખવા છતાં તેઓને એવો અભિલાષ હોતો નથી કે “જો ગોચરી વધશે તો પારિષ્ઠાપનિકા આગારથી મને ઉપવાસમાં પણ વાપરવા મળશે અથવા કદાચ કંઈક શારીરિક તકલીફ આવશે તો સર્વસમાધિવર્તિત આગારથી હું તેનું નિવારણ કરી શકીશ.” આ રીતે કોઈપણ આગાર વિષયક મુનિ અભિલાષવાળા હોય તો તે મુનિ સાભિધ્વંગ પરિણામવાળા બનવાથી તેઓનો સામાયિકનો પરિણામ બાધ પામે; પરંતુ જે મુનિ ગોચરી વધી જવાથી પરઠવવી પડે તેમ હોય ત્યારે આહારમાં લેશ પણ આસક્તિ કર્યા વગર ગુરુના વચનથી પારિષ્ઠાપનિકા આગારના સેવન દ્વારા તે વધેલો આહાર વાપરે છે, અને આહાર વાપરતી વખતે પણ આહાર વાપરવાના અધ્યવસાયવાળા નથી, તેવા મુનિ ઉપવાસમાં વાપરવા છતાં ઉપવાસકૃત નિર્જરાને પ્રાપ્ત કરે છે. તેથી આવા મુનિનો પચ્ચખાણ વખતનો નિરભિમ્પંગ ભાવ આગારોના સેવનકાળમાં કે અસેવનકાળમાં અન્યથારૂપે થતો નથી. માટે તે મુનિનો સામાયિકનો પરિણામ આગારો સહિત પચ્ચકખાણ કરવા છતાં બાધા પામતો નથી. આ કથનને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે કે પચ્ચકખાણમાં આગારો રાખવા છતાં સામાયિકના પરિણામમાં પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિકાર લિંગથી સિદ્ધ એવો અન્યથારૂપ ભાવ નિયમથી થતો નથી, આથી સાધુ આગારપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કર્યા પછી આગારો રાખવાના પ્રતિકારરૂપ પ્રાયશ્ચિત્ત કરતા નથી. આશય એ છે કે સામાયિકનો લેશ પણ અન્યથાભાવ થવો એ સામાયિકના પરિણામમાં અતિચારરૂપ છે. આથી સામાયિકના પરિણામમાં યત્ન કરનાર કોઈ મુનિને કોઈક નિમિત્તને પામીને ક્યારેક લેશ પણ રાગનો કે દ્વેષનો સ્પર્શ થાય, તો નિરભિમ્પંગ પરિણામવાળા મુનિ જાણતા હોય કે અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે મારો સામાયિકનો પરિણામ અતિચારથી મલિન થયો છે, આથી તે અતિચારની શુદ્ધિના ઉપાયરૂપે તેઓ આલોચના, નિંદા, ગહ અને પ્રાયશ્ચિત્ત કરે છે; અને જ્યારે નિરભિમ્પંગ પરિણામવાળા સાધુ આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરે છે ત્યારે તેમના નિરભિમ્પંગ ભાવમાં અન્યથારૂપ કોઈ ભાવ થતો નથી. માટે આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરવા નિમિત્તે, તેમ જ આગારોના સેવન નિમિત્તે સાધુને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી અર્થાત્ ઉપવાસમાં પારિષ્ઠાપનિકા આગારના સેવન દ્વારા કોઈક સાધુએ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે આહાર વાપર્યો હોય તો તે આગારસેવનનિમિત્તક કોઈ પ્રાયશ્ચિત્ત સાધુને આવતું નથી. પરંતુ જો આગારોનું ગ્રહણ કે સેવન સામાયિકના પરિણામરૂપ મૂળ પરિણામનો બાધ કરતું હોય તો પચ્ચખાણમાં આગારના ગ્રહણનું અને આગારના સેવનનું સાધુને અવશ્ય પ્રાયશ્ચિત્ત આવે. તેથી શાસ્ત્રવિધિ પ્રમાણે જે સાધુ આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરીને યોગ્ય સ્થાને આગારને સેવે છે, તે સાધુને શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું કહ્યું નથી. આથી પચ્ચક્ખાણમાં રાખેલ આગારોથી સામાયિકમાં વર્તતો નિરભિમ્પંગ પરિણામ નિયમથી અન્યથારૂપ થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy