SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૮ ૧૫૫ અન્વયાર્થ : ગં=જે કારણથી સવ્વસ્થ સર્વત્ર સર્વ પદાર્થોમાં, સમભાવે વિષે સમભાવ હોતે છતે જ તં તેનું સામાયિક, નાયડુ થાય છે, માવદિયં =અને યાવસ્કથિક છે સામાયિક જાવજીવનું છે, તો તે કારણથી તત્વ=ત્યાં સામાયિકમાં, વીરાદિંવીતરાગ વડે માર ન પન્ના=આગારો પ્રજ્ઞપ્ત નથી. ગાથાર્થ : જે કારણથી સર્વ પદાર્થોમાં સમભાવ હોતે છતે જ સામાચિક થાય છે, અને સામાજિક જાવજીવનું છે, તે કારણથી સામાયિકમાં વીતરાગ વડે આગારો પ્રજ્ઞપ્ત નથી. ટીકાઃ समभाव एव तत् सामायिकं, यस्माद् जायते सर्वत्र सर्वेषु पदार्थेषु समभावे, तथा यावत्कथिकं च तत्, ततः तत्र सामायिके नाकाराः प्रज्ञप्ता वीतरागैः, तथाविवेकरूपत्वादिति गाथार्थः ॥५१८॥ ટીકાર્ય : સમભાવમાં જ તે છે સામાયિક છે; જે કારણથી સર્વત્ર સર્વ પદાર્થોમાં, સમભાવ હોતે છતે સામાયિક થાય છે, અને તે રીતે=જે રીતે સમભાવમાં જ સામાયિક છે તે રીતે, તે=સર્વવિરતિ સામાયિક, યાવત્રુથિક છે; તે કારણથી ત્યાં સામાયિકમાં, વીતરાગ વડે આગારો પ્રરૂપાયા નથી; કેમ કે તે પ્રકારે વિવેકરૂપપણું છે=સર્વ ભાવો પ્રત્યે સદા સમભાવ રાખવામાં આગારો બાધક હોવાથી સામાયિક જે પ્રકારે સમભાવનું કારણ બને તે પ્રકારે સામાયિકમાં વિવેકરૂપપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: - સામાયિક સમભાવના પરિણામરૂપ છે; જે કારણથી સર્વ પદાર્થો પ્રત્યે માવજીવ સમભાવ હોતે છતે આત્મામાં સામાયિક ઉત્પન્ન થાય છે, તેથી વીતરાગે સામાયિકમાં આગારો બતાવ્યા નથી; કેમ કે સંસારના કોઈપણ પદાર્થમાં ક્યારેય પક્ષપાત ન કરવો, તેવા પ્રકારના વિવેકરૂપ સામાયિક છે. આશય એ છે કે સંયમગ્રહણથી માંડીને જીવનના અંત સુધી સર્વ પદાર્થો પ્રત્યે સમભાવ ધારણ કરે તેવો સાધુમાં જે પરિણામ છે તે સામાયિક છે, તેથી સામાયિકમાં આગારો નથી. જો સામાયિકમાં આગારો હોય, તો જેમ નવકારશી આદિ પચ્ચખાણમાં અનાભોગ-સહસાકાર આગાર હોવાથી ક્યારેક અનાભોગથી કે સહસાકારથી વિપરીત પ્રવૃત્તિ થાય તોપણ પચ્ચખાણનો ભંગ થતો નથી, તેમ સામાયિકમાં પણ અનાભોગથી કે સહસાકારથી અસમભાવનો પરિણામ થાય તોપણ અનાભોગ-સહસાકાર આગાર હોવાથી સામાયિકનો ભંગ થાય નહીં એમ માનવું પડે. વસ્તુતઃ સામાયિકમાં અનાભોગ-સહસાકારથી પણ સમભાવના પરિણામનો અન્યથાભાવ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય છે, અને ક્રમે કરીને સામાયિકનો નાશ થાય છે. તેથી સમભાવના પરિણામરૂપ સામાયિકમાં ભગવાને આગારો પ્રરૂપ્યા નથી; ફક્ત સર્વ ઉદ્યમથી સમભાવમાં યત્ન કરતા સાધુને પણ સમભાવના પરિણામનો અતિશય કરવા અર્થે જે મહાવ્રતોની બાહ્ય આચરણા બતાવી છે, તેમાં પણ જે ઉત્સર્ગ-અપવાદ મૂકેલ છે, તે પણ સમભાવની વૃદ્ધિ અર્થે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy