SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુક, “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૮૯-૪૯૦ તેનું .. થાર્થ: ત્યારપછી કાયના પ્રમાર્જનના ઉત્તરકાલને વિષે છ આવશ્યકની સમાપ્તિનું આચાર્યને નિવેદન કર્યા પછી શરીરનું પ્રમાર્જન કર્યા પછી, ગુરસ્તુતિનું ગ્રહણ કરાયે છતે ગુરુ દ્વારા બોલાતી ત્રણ સ્તુતિઓનું ગ્રહણ કરાય છd, રૂપથી સ્વરૂપથી, અને શબ્દથી વધતી એવી ત્રણ સ્તુતિઓ હોય છે=સાધુઓ ત્રણ સ્તુતિઓ બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંસારમાં સારી આજ્ઞા કરનાર એવા કોઈ રાજાની સુકૃત એવી આજ્ઞાને પૂરી કરીને કોઈ વિનીત સેવક રાજા પાસે આવીને સુકૃતકૃતિકર્મરૂપ નમસ્કાર કરીને “આપની આજ્ઞાનું પાલન કર્યું છે,” એમ નિવેદન કરે છે. એ રીતે સાધુઓ પણ પોતે જ આવશ્યકને સારી રીતે પૂરાં કર્યા છે, એમ જણાવવા માટે પહેલાં આચાર્યને વંદન કરે છે. આથી વર્તમાનમાં પણ આચાર્યને વંદન કરીને “સામાયિક-ચઉવીસો -વંદણ-પડિક્રમણકાઉસ્સગ્ન-પચ્ચખ્ખાણ કર્યું છે જી” એ પ્રમાણે બોલવારૂપ છે આવશ્યકોનું આચાર્યને નિવેદન કરાય છે. આટલા કથનથી વંદન કરવાનું પ્રયોજન બતાવ્યું. હવે વંદન ર્યા બાદ સાધુઓ શું કરે છે? તે બતાવે છે – ત્યારપછી સાધુઓ કાયાની પ્રાર્થના કરીને બેસે છે, અને પોતે છ આવશ્યક સારી રીતે પૂરાં કર્યા છે તેના હર્ષની અભિવ્યક્તિ રૂપે સ્વરૂપથી વધતી એવી ત્રણ સ્તુતિઓ બોલે છે અર્થાત્ પ્રથમ સ્તુતિ અલ્પ માત્રાવાળી બોલે છે, બીજી સ્તુતિ તેનાથી અધિક માત્રાવાળી બોલે છે અને ત્રીજી સ્તુતિ તેનાથી પણ અધિક માત્રાવાળી બોલે છે; તેમ જ શબ્દથી પણ વધતી એવી ત્રણ સ્તુતિઓ બોલે છે અર્થાત્ પ્રથમ સ્તુતિ કરતાં બીજી સ્તુતિ ઊંચા અવાજે બોલે છે, બીજી કરતાં ત્રીજી સ્તુતિ અધિક ઊંચા અવાજથી બોલે છે; કેમ કે આ રીતે ત્રણેય સ્તુતિ સ્વરૂપથી અને શબ્દથી ઉત્તરોત્તર પૂર્વ-પૂર્વ કરતાં વધતી એવી બોલવાથી પોતે જે છે આવશ્યકનું શાસ્ત્રાનુસારી કાર્ય કર્યું છે, તેના હર્ષની અભિવ્યક્તિ થાય છે. ll૪૮મા અવતરણિકા: एतदेवाह - અવતરણિયાર્થ: આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથાના અંતે કહ્યું કે કાયપ્રસ્મર્જનાપૂર્વક બેસીને પ્રથમ ગુરુ ત્રણ સ્તુતિઓ બોલે છે અને ત્યારબાદ સર્વ સાધુઓ વધતા પરિણામપૂર્વક ત્રણ સ્તુતિઓ બોલે છે, એને જ કહે છે – ગાથા : थुइमंगलम्मि गुरुणा उच्चरिए सेसगा थुई बिंति । चिटुंति तओ थेवं कालं गुरुपायमूलम्मि ॥४९०॥ અન્વયાર્થ : ગુરુ =ગુરુ વડે થુમરાહ્ન સચ્ચરિત્રસ્તુતિમંગલ ઉચ્ચારાયે છતે સેસTr=શેષ એવા સાધુઓ થર્ડસ્તુતિઓને વિંતિ બોલે છે. તો ત્યારપછી થેવં નં-થોડો કાળ ગુરુપાયભૂમિ=ગુરુના પાદમૂલમાં= આચાર્યની પાસે, વિÉતિ=રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy