SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦૪-૪૦૫ ભાવાર્થ : પ્રતિક્રમણ સૂત્ર પૂરું થયા પછી છેલ્લા બે સાધુને છોડીને સર્વ સાધુઓને ખામણાં કરવાં જોઈએ, એ વિધિ ૧૪ પૂર્વધર, ૧૦ પૂર્વધર વગેરેના કાળમાં હતી, પરંતુ વર્તમાનમાં પગામસિક્કા બોલ્યા પછી દૈવસિક પ્રતિક્રમણમાં ગુરુને અને અન્ય રત્નાધિક એવા બે સાધુઓને ખમાવવાની વિધિ છે, ઉપલક્ષણથી રાત્રિક પ્રતિક્રમણમાં પણ આ વિધિ છે; જ્યારે પાક્ષિક પ્રતિક્રમણમાં પાંચ સાધુઓને અને ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણમાં સાત સાધુઓને ખમાવવાની વિધિ છે, એ પ્રકારનું કથન બૃહત્કલ્પસૂત્રની ભાષ્ય ગાથા ૪૪૯૭માં છે. અહીં વિશેષ એ છે કે ગાથા ૪૬૯ના કથનથી આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય આદિ સર્વને ખમાવવાની વિધિ પ્રાપ્ત થાય છે, જયારે ગાથા ૪૭૩ અને ૪૭૪ના પૂર્વાર્ધના કથનથી આચાર્યને, ઉપાધ્યાયને ખમાવીને છેલ્લા બે સાધુને છોડીને શેષ સર્વ સાધુઓને ખમાવવાની વિધિ પ્રાપ્ત થાય છે, તેમ જ ગાથા ૪૭૪ના ઉત્તરાર્થના કથનથી વર્તમાનમાં ગુરુ અને પર્યાયથી મોટા બે એમ ત્રણ સાધુઓને જ ખમાવવાની વિધિ પ્રાપ્ત થાય છે. આનાથી એ ફલિત થાય કે પૂર્વના કાળમાં સર્વ સાધુઓ ખામણાં કરતાં પહેલાં આચાર્યાદિને, ચતુર્વિધ સંઘને અને જગતના સર્વ જીવોને ખમાવવાનો અધ્યવસાય ઉલ્લસિત કરીને શાસ્ત્રમર્યાદા અનુસાર છેલ્લા બે સાધુને છોડીને આચાર્યાદિ સર્વ સાધુઓને રત્નાધિકતાના ક્રમથી ખમાવતા હતા; જયારે વર્તમાનમાં ધૃતિ, સંઘયણાદિની હાનિને કારણે તે પ્રકારનો સર્વને ખમાવવાનો અધ્યવસાય ઉલ્લસિત કરીને માત્ર રત્નાધિક એવા ત્રણ સાધુને જ સર્વ સાધુઓ ખમાવે છે. આથી ખામણાં કરતી વખતે સાધુએ “અમુક સાધુને હું નમાવું છું,’ એટલો જ અધ્યવસાય રાખવાનો નથી, પરંતુ સર્વ જીવોને ખમાવવાનો અધ્યવસાય રાખવાનો છે; અને ત્યારપછી તેવા અધ્યવસાયપૂર્વક આચરણારૂપે શાસ્ત્રમાં બતાવેલ મર્યાદા પ્રમાણે ખમાવવાનું છે, એ પ્રકારનું ગાથા ૪૬૮થી ૪૭૪ સુધીના કથનનું તાત્પર્ય છે. I૪૭૪ો. અવતારણિકા: आचरितकल्पप्रवृत्तिमाह - અવતરણિકાઈઃ આચરિતકલ્પની પ્રવૃત્તિને કહે છે, અર્થાતુ પૂર્વાચાર્યો વડે આચરાયેલા આચારની સ્થાપના કરવાની પ્રવૃત્તિને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે દેવસિક પ્રતિક્રમણમાં ગુરુ અને શેષ બે, એમ ત્રણ સાધુઓને ક્ષમણ કરવાનું વર્તમાનમાં આચરિત છે, જે જીવકલ્પરૂપ છે. તેથી હવે તે જીવકલ્પરૂપ આચરિતકલ્પની પ્રવૃત્તિને ગ્રંથકાર સ્પષ્ટ કરે છે – અથવા બૃહત્કલ્પભાષ્ય પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy