________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦૩-૪૦૪ કરે છે. પરંતુ જો સાધુ રત્નાધિકની મર્યાદા વગર આડા-અવળા ક્રમથી ક્ષમાપના કરે, તો આજ્ઞાભંગાદિ દોષોની પ્રાપ્તિ થાય; અથવા ક્ષમાપનાની ક્રિયા સાધુ ઔપચારિક ભાષારૂપે કરે, અને માથા ૪૭૨માં બતાવ્યું તે મુજબ ક્ષમાપના ન કરે, તો તે ક્ષમાપના કરનાર સાધુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. માટે સાધુઓએ સર્વ જીવોને ખમાવવાના શુભ અધ્યવસાયવાળા થઈને આચાર્યાદિના ઉચિત ક્રમથી ખામણાં કરવાં જોઈએ. |૪૭૩.
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે આચાર્ય અને ઉપાધ્યાયને ક્ષમણ કરીને સાધુએ રત્નાધિકના ક્રમ પ્રમાણે શેષ સાધુઓને ક્ષમણ કરવું જોઈએ. એમાં શેષ કેટલા સાધુઓને ક્ષમણ કરવું જોઈએ? તેના વિષયમાં શાસ્ત્રમર્યાદા બતાવે છે – ગાથા :
जा दुचरिमो त्ति ता होइ खामणं तीरिए पडिक्कमणे ।
आइण्णं पुण तिण्हं गुरुस्स दोण्हं च देवसिए ॥४७४॥ અન્વયાર્થ:
ડિક્ષમ તરિજી=પ્રતિક્રમણ તીરિત થયે છd=પ્રતિક્રમણ સૂત્ર બોલાયે છતે, ના=જ્યાં સુધી કુરિમો= કિચરમ થાય= છેલ્લા બે સાધુ બાકી રહે, તા=એટલું વીમi=ક્ષમણ દોડું થાય છે. રેવસિU TUT=વળી દૈવસિકમાં=વર્તમાનમાં દૈવસિક પ્રતિક્રમણમાં, ગુરુસ લોખું =ગુરુનું અને બેનું (એમ) તિëત્રણનું (ક્ષમણ) કારૂપ આચર્ણ છે. * ઉત્ત' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
પ્રતિક્રમણસૂત્ર બોલાચે છતે જ્યાં સુધી છેલ્લા બે સાધુ બાકી રહે એટલું ક્ષમણ થાય છે, વળી વર્તમાનમાં દેવસિક પ્રતિક્રમણમાં ગુરુ અને ગુરુથી શેષ બે સાધુ, એમ ત્રણનું ક્ષમણ આશીર્ણ છે. ટીકા?
यावत् द्विचरम इति द्वितीयश्च स चरमश्च क्षमणापेक्षया, एतावद् भवति क्षमणं, तीरिते प्रतिक्रमणे= पठिते प्रतिक्रमण इत्यर्थः, आचरितं पुनस्त्रयाणां गुरोर्द्वयोश्च शेषयोर्दैवसिक इति गाथार्थः ॥४७४॥ ટીકાર્ય :
પ્રતિક્રમણ તરિત થયે છ7=પ્રતિક્રમણ પઠિત થયે છ7=પ્રતિક્રમણ સૂત્ર બોલાયે છતે, જ્યાં સુધી દ્વિચરમ થાય=ક્ષમણની અપેક્ષાથી દ્વિતીય તે ચરમ થાય અર્થાત્ ખામણાં કરતાં કરતાં છેલ્લા બે સાધુ બાકી રહે, એટલું ક્ષમણ થાય છે. વળી દેવસિકમાં ગુરુનું અને શેષ બેનું એમ ત્રણ સાધુઓનું આચરિત છે=વર્તમાનમાં ક્ષમણ આચરિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org