SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૦૨ ટીકા : एवंविधपरिणामाः सन्तः भावेन=परमार्थेन तत्र नवरमाचार्यं प्रथमं क्षमयन्ति सर्वे साधवः यदि ज्येष्ठोऽसौ पर्यायेण, अन्यथा ज्येष्ठे असति ज्येष्ठमसावपि क्षमयति, विभाषेत्यन्ये, शिष्यकादिश्रद्धाभङ्गनिवारणार्थं कदाचिदाचार्यमेवेति गाथार्थः ॥४७२॥ ટીકાર્ય : ત્યાં=ખામણામાં, ભાવથી પરમાર્થથી=અંતઃકરણના પરિણામથી, આવા પ્રકારના પરિણામવાળા= આચાર્યાદિ સર્વ જીવોને ખમાવવાના પરિણામવાળા, છતા સર્વ સાધુઓ, જો આ=આચાર્ય, પર્યાયથી જ્યેષ્ઠ હોય તો પ્રથમ આચાર્યને ખમાવે છે, અન્યથી=જ્યેષ્ઠ નહીં હોતે છત=સર્વ સાધુઓમાં આચાર્ય પર્યાયથી મોટા નહીં હોતે છતે, આ પણ=આચાર્ય પણ, જ્યેષ્ઠને પર્યાયથી મોટા સાધુને, ખમાવે છે. વિભાસા છે એ પ્રમાણે અન્યો કહે છે અર્થાત્ આચાર્ય પર્યાયથી જ્યેષ્ઠ ન હોય તો પર્યાયથી મોટા સાધુને આચાર્ય પણ ખમાવે છે એ કથનમાં વિકલ્પ છે એ પ્રમાણે અન્ય વાદીઓ કહે છે. તે વિભાસા જ સ્પષ્ટ કરે છે – શિષ્યાદિની શ્રદ્ધાના ભંગના નિવારણ અર્થે ક્યારેક આચાર્યને જ પર્યાયથી જયેષ્ઠ સાધુ સહિત સર્વ સાધુઓ ક્યારેક આચાર્યને જ, ખમાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થઃ : ગાથા ૪૬૮માં બતાવ્યું એ પ્રમાણે સર્વ સાધુઓ પ્રતિક્રમણસૂત્ર બોલ્યા પછી વાંદણાં આપે છે, અને ત્યારપછી ગાથા ૪૬૯થી ૪૭૧માં બતાવેલ “આયરિય ઉવજઝાએ' સૂત્રમાં જે પ્રકારના પરિણામો બતાવ્યા તે પ્રકારના પરિણામવાળા થઈને, જો આચાર્ય શેષ સાધુઓ કરતાં સંયમપર્યાયમાં મોટા હોય તો પ્રથમ આચાર્યને ખમાવે છે, અને જો આચાર્ય કોઈક સાધુ કરતાં પર્યાયમાં નાના હોય તો આચાર્ય સહિત સર્વ સાધુઓ તે સંયમપર્યાયથી મોટા સાધુને ખમાવે છે. આ પ્રકારની ખામણા કરવાની ક્રિયામાં મર્યાદા છે. વળી આ વિષયમાં અન્ય આચાર્યોના મતે વિભાષા છે, તે આ રીતે – અન્ય આચાર્યોના મત પ્રમાણે આ વિષયમાં એ વિકલ્પ છે કે હજી જેઓની બુદ્ધિ પરિપક્વ થઈ નથી તેવા નવદીક્ષિત, બાલ વગેરે સાધુઓ પોતાના ગચ્છમાં રહેલા હોય, અને તેઓ આચાર્યને બદલે પ્રથમ યેષ્ઠ સાધુને આચાર્ય અને સર્વ સાધુઓ દ્વારા ખમાવાતા જુવે તો તેઓની “આ આચાર્ય જ આપણા બધામાં સૌથી મોટા છે” તેવી શ્રદ્ધાનો ભંગ થાય, માટે તેવા સમયે શિષ્યાદિની શ્રદ્ધાનો ભંગ ન થાય તે માટે સર્વ સાધુઓ પ્રથમ આચાર્યને ખમાવે; પરંતુ જો શિષ્યાદિની શ્રદ્ધાનો ભંગ થાય તેવું ન હોય તો, સર્વ સાધુઓ પર્યાયથી યેષ્ઠ સાધુને જ પહેલાં ખમાવે અને આચાર્ય પણ પોતાના કરતાં પર્યાયથી જયેષ્ઠ સાધુને પ્રથમ ખમાવે. આ પ્રકારની અન્ય આચાર્યોની વિભાષામાં વિનયની મર્યાદા છે. અહીં વિશેષ એ છે કે વર્તમાનમાં સાધુઓ આવશ્યકની વિધિમાં પગામસિક્કા બોલ્યા પછી વાંદણાં આપ્યા પછી “અભુઢિઓ' સૂત્રથી ખામણાં કરે છે, અને ફરી પાછાં વાંદણાં આપે છે, અને ત્યારપછી આયરિય ઉવજઝાએ' સૂત્રની પૂર્વે બતાવી તે ત્રણ ગાથાઓ બોલે છે; જયારે પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ આવશ્યકની વિધિ અનુસાર “આયરિય ઉવજઝાએ” સૂત્રની ત્રણ ગાથાઓ પ્રતિક્રમણમાં બોલતા નથી, ફક્ત વાંદણાં આપ્યા પછી આચાર્યાદિને ખામણા કરીને તરત ચારિત્રાદિની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ જ સાધુઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy