________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૬૮, ૪૯ થી ૪૦૧
૮પ
અન્વયાર્થ :
પરિભ્રક્રુિઝUT પછી=(પ્રતિક્રમણસૂત્ર) બોલીને પછી જિમ્ન વકૃતિકર્મને કરીને વાંદણાં દઈને, સલ્વેસર્વ સાધુઓ માસિર્ફ આચાર્યાદિને માવે=ભાવથી ઘામંતિઃખમાવે છે, તહીં તે રીતે સુ-= શ્રતમાં=શાસ્ત્રમાં, મણિમં કહેવાયેલું છે. * “નવરિ પાદપૂર્તિમાં છે. ગાથાર્થ
પ્રતિક્રમણ સૂત્ર બોલીને ત્યારપછી વાંદણાં આપીને સર્વ સાધુઓ આચાર્યાદિને ભાવથી ખમાવે છે, તે રીતે શાસ્ત્રમાં કહેવાયું છે. ટીકા :
पर्याकृष्य प्रतिक्रमणं पश्चात् कृतिकर्म वन्दनं कृत्वा नवरं क्षमयन्ति मर्षयन्ति, कान् ? इत्याह - आचार्यादीन्, गुणवन्तः सर्वे साधवः भावेन-सम्यक्परिणत्या, श्रुते तथा भणितमेतदिति गाथार्थः ॥४६८॥ ટીકાર્ય :
પ્રતિક્રમણને=પગામસિજ્જાસૂત્રને, બોલીને પાછળથી કૃતિકર્મ વંદનને કરીને ખમાવે છે, કોને? એથી કહે છે – આચાર્યાદિને, ગુણવાન એવા સર્વ સાધુઓ ભાવથી=સમ્યક પરિણતિથી, ખમાવે છે, એમ અન્વય છે. તે રીતે શ્રુતમાં આ=૪૬૯-૪૭૦-૪૭૧માં કહેવાશે એ, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું તે રીતે સાંજના પ્રતિક્રમણમાં ઉપયોગપૂર્વક પગામસિક્કા બોલ્યા પછી બધા સાધુઓ વાંદણાં આપે છે, અને ત્યારપછી સર્વ સાધુઓ સમ્યફ પરિણતિપૂર્વક આચાર્યાદિને ખમાવે છે. અર્થાત્ ગુણવાન એવા સાધુઓના ગુણોનું મનમાં સ્મરણ કરીને ગુણો પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે આચાર્ય આદિ સર્વ સાધુઓને ખમાવે છે.
વળી “પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી સર્વ સાધુઓ આચાર્યાદિને ભાવપૂર્વક ખમાવે છે, એ કથનની પુષ્ટિ માટે ગ્રંથકાર કહે છે કે સર્વ સાધુઓ આચાર્યાદિને ભાવપૂર્વક ખમાવે છે તે પ્રકારે કૃતમાં કહેવાયું છે, જે કથનને ગ્રંથકારશ્રી સ્વયં આગળની ત્રણ ગાથાઓમાં સ્પષ્ટ કરે છે. ll૪૬૮. અવતરણિકા:
પૂર્વગાથામાં અંતે કહ્યું કે પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી કૃતિકર્મ વંદન કરીને સર્વ સાધુઓ આચાર્યાદિને ખમાવે છે તે પ્રકારે શ્રુતમાં કહેવાયું છે. તેથી હવે ગાથા ૪૭૧ સુધી તે શ્રુતમાં કહેવાયેલું કથન જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
ગાથા :
आयरिअउवज्झाए सीसे साहम्मिए कुल गणे अ। जे मे केइ कसाया सव्वे तिविहेण खामेमि ॥४६९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org