SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૪૨ ગાથા : विणएण पट्ठवित्ता सज्झायं कुणइ तो मुहुत्तागं । एवं तु खोभदोसा परिस्समाई अ होति जढा ॥३४२॥आलोअण त्ति दारं गयं॥ અન્વયાર્થ: તો ત્યારપછી=પૂર્વગાથામાં કહ્યું તે પ્રમાણે ધ્યાન કર્યા પછી, વિIUM સટ્ટાયં પવિત્તા=વિનયથી સ્વાધ્યાયને પ્રસ્થાપીને મુત્તા મુહૂર્ત (સ્વાધ્યાયને જ) કરે છે. પૂર્વ તુ=વળી આ રીતે (સ્વાધ્યાય કરવાથી) મોસા પરિમાક્ષોભના દોષો, પરિશ્રમાદિની તિ=પરિત્યક્ત થાય છે. માનો“આલોચના' ઉત્ત-એ પ્રકારે સારું યંત્રદ્વાર ગયું=પૂર્ણ થયું. ગાથાર્થ : ( પૂર્વગાથામાં કહ્યું તે પ્રમાણે ધ્યાન કર્યા પછી, વિનયથી સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરીને એક મુહૂર્ત સ્વાધ્યાય જ કરે છે. વળી આ રીતે રવાધ્યાય કરવાથી ક્ષોભના થયેલા દોષો પરિશ્રમાદિ પરિત્યક્ત થાય છે. ટીકા : ___ उक्तध्यानानन्तरं विनयेन-वन्दनादिना प्रस्थाप्य स्वाध्यायं करोति ततो मुहूर्तं स्वाध्यायमेव, करोतीति वर्त्तमाननिर्देशस्तुलादण्डमध्यग्रहणन्यायत: त्रिकालगोचरसूत्रसङ्ग्रहार्थः, स्वाध्यायकरणे गुणमाह - एवं तु स्वाध्यायकरणेन क्षोभदोषाः वातादिधातुक्षोभापराधाः परिश्रमादयः-स्वाङ्गिका भवन्ति जढा परित्यक्ता રૂતિ થાર્થ રૂ૪રા. ટીકાર્ય ત્યારપછી–ઉક્ત ધ્યાનની અનંતર=પૂર્વગાથામાં કહેવાયેલ ધ્યાન કર્યા પછી, વંદનાદિવિનયથી સ્વાધ્યાયને પ્રસ્થાપીને મુહૂર્ત સ્વાધ્યાયને જ કરે છે, “ઋતિ' એ પ્રકારે વર્તમાનકાળનો નિર્દેશ તુલાના દંડના મધ્ય ગ્રહણના ન્યાયથી ત્રણ કાળના વિષયવાળા સૂત્રના સંગ્રહના અર્થવાળો છે. સ્વાધ્યાયના કરણમાં ગુણને કહે છેઃભિક્ષાટન કરીને આવ્યા પછી એક મુહૂર્ત સ્વાધ્યાય કરવામાં સાધુને પ્રાપ્ત થતો લાભ બતાવે છે – વળી આ રીતે સ્વાધ્યાય કરવાથી ક્ષોભના દોષો=વાત વગેરેના અને ધાતુઓના ક્ષોભના અપરાધો, અને સ્વાંગિક પોતાના શરીરના અંગ સંબંધી, પરિશ્રમાદિ ત્યજાયેલા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે ગોચરીની આલોચના કર્યા પછી આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ ધ્યાન કરીને ગોચરી લાવનાર સાધુ વંદનાદિ વિનયપૂર્વક સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરીને એક મુહૂર્ત સુધી સ્વાધ્યાયને જ કરે છે. જોતિ' એ પ્રકારનો વર્તમાનકાળનો નિર્દેશ તુલાદંડના મધ્ય ગ્રહણના ન્યાયથી આ સૂત્ર ત્રિકાલગોચર છે એમ બતાવવા માટે છે અર્થાત્ જેમ ત્રાજવાના દંડનો મધ્યભાગ ગ્રહણ કરવાથી આખી તુલા ગ્રહણ થાય છે, તેમ ભૂત અને ભવિષ્યની મધ્યમાં વર્તમાન હોવાથી વર્તમાનકાળનો પ્રયોગ કરવાથી ભૂતકાળ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy