________________
૧૨૮
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા' દ્વાર-‘ઇર્ચા' દ્વાર | ગાથા ૩૨૧ જે જે દોષો લાગ્યા હોય, તે તે દોષોનું ક્રમસર ચિંતવન કરે, અને તે જ પ્રમાણે ગુરુ પાસે નિવેદન કરે, તે પ્રતિસેવનાઅનુલોમ ચિંતવન કહેવાય.
બીજા પ્રકારનું ચિંતવન વિકટનાઅનુલોમ છે અર્થાત્ આલોચનાના ક્રમ પ્રમાણે છે. તેથી સાધુ સૌથી નાના દોષનું પ્રથમ ચિંતવન કરે, પછી ક્રમસર તેનાથી મોટો મોટો દોષ ચિંતવે, એ પ્રમાણે સર્વથી મોટો દોષ છેલ્લે ચિંતવન કરે.
આમ કરવાનું કારણ એ છે કે આલોચના એ દોષોના ચિંતવન અને નિવેદનમાત્રરૂપ નથી, પરંતુ તીવ્ર સંવેગપૂર્વક દોષોના પશ્ચાત્તાપનો તીવ્ર અધ્યવસાય પેદા થાય, તે પ્રકારના ચિંતવન અને નિવેદનની ક્રિયારૂપ છે. તેથી તીવ્ર પશ્ચાત્તાપના પરિણામપૂર્વક નાના દોષનું પ્રથમ ચિંતવન અને નિવેદન કરવાથી પશ્ચાત્તાપનો પરિણામ વિશેષ તીવ્ર બને છે; કેમ કે નિર્જરાના અર્થ સાધુ પશ્ચાત્તાપનો પરિણામ થાય તેવા ઉપયોગપૂર્વક ચિંતવન અને નિવેદન કરે છે; તેથી જેમ જેમ સાધુ દોષોનું ચિંતવન અને નિવેદન કરતા જાય છે, તેમ તેમ સાધુનો પશ્ચાત્તાપનો ભાવ અધિક અધિક વધતો જાય છે. તેથી જો પ્રથમ મોટો દોષ કહેવામાં આવે તો તેમાં તેવો તીવ્ર પશ્ચાત્તાપનો ભાવ પ્રગટ થયો ન હોય તો પાપ નાશ પામે નહિ, પરંતુ પ્રથમ નાના દોષો કહીને ક્રમસર મોટા મોટા દોષો કહેવામાં આવે તો વધતો જતો તે પશ્ચાત્તાપનો પરિણામ મોટા દોષો કહેતી વખતે વિશેષ તીવ્ર થયો હોય તો પાપ નાશ કરવા સમર્થ બને છે. આથી જ આલોચનાના ક્રમના વિષયમાં ગીતાર્થ સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન આલોચનાના ક્રમથી જ કરે છે, અને ગુરુ પાસે નિવેદન પણ આલોચનાના ક્રમથી જ કરે છે. પરંતુ આલોચનાના ક્રમના વિષયમાં ગીતાર્થ ન હોય તેવા સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન આસેવનાના ક્રમથી કરે છે અને ગુરુ પાસે નિવેદન પણ આસેવનાના ક્રમથી જ કરે છે.
વળી અતિચારોના ચિંતવન અને નિવેદનને આશ્રયીને પ્રતિસેવના અને વિકટના એ બે પદમાં ચાર ભાંગા થાય છે. તે આ રીતે
:
(૧) પ્રતિસેવના અનુલોમ છે અને વિકટના અનુલોમ છે ઃ કોઈ સાધુથી ભિક્ષાટનકાળમાં પ્રથમ નાનો દોષ સેવાયો હોય અને પછી ઉત્તરોત્તર મોટા મોટા દોષો સેવાયા હોય, અને તે સાધુ ગીતાર્થ હોય, તો તે સાધુ દોષોનું ચિંતવન અને ગુરુ આગળ નિવેદન આલોચનારૂપ વિકટનાના ક્રમથી કરતા હોય છે, તેથી તેમનું આલોચન પ્રથમ ભાંગામાં પ્રાપ્ત થાય; કેમ કે તેઓથી દોષોની પ્રતિસેવના પણ આલોચનાના ક્રમથી જ કરાયેલી છે.
-
(૨) પ્રતિસેવના અનુલોમ છે, પણ વિકટના અનુલોમ નથી : કોઈ સાધુથી ભિક્ષાટનકાળમાં દોષો સેવાયા હોય, અને તે સાધુ ગીતાર્થ ન હોય, તેથી તેઓ દોષોનું ચિંતવન અને ગુરુ આગળ નિવેદન આલોચના રૂપ વિકટનાના ક્રમથી કરતા ન હોય, પરંતુ પોતે પ્રથમ જે દોષ સેવ્યો અને ઉત્તરોત્તર જે જે દોષો સેવ્યા તે રૂપ પ્રતિસેવનાના ક્રમથી કરતા હોય છે, તેથી તેમનું આલોચન બીજા ભાંગામાં પ્રાપ્ત થાય.
(૩) પ્રતિસેવના અનુલોમ નથી, પણ વિકટના અનુલોમ છે ઃ કોઈ સાધુથી ભિક્ષાટનકાળમાં દોષો સેવાયા હોય, અને તે સાધુ ગીતાર્થ હોય, તેથી તેઓ દોષોનું ચિંતવન અને ગુરુ આગળ નિવેદન આલોચનારૂપ વિકટનાના ક્રમથી કરતા હોય છે, પરંતુ પોતે દોષો આલોચનાના ક્રમ પ્રમાણે સેવ્યા ન હોય, તો તેમનું આલોચન ત્રીજા ભાંગામાં પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org