________________
પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ દ્વાર | ગાથા ૨૨૦
૩૧૧
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે જેમણે ભૂતકાળમાં કોઈકને લાલચથી દીક્ષા આપીને દુઃખગહનમાં પાડ્યા હોય તેવા સાધુઓને આવા પ્રકારના ફળને આપનારું પાપ બંધાય છે. તે વાતને “તથા ' થી કહે છે
ગાથા :
चईऊण घरावासं तस्स फलं चेव मोहपरतंता। ण गिही ण य पव्वइआ संसारपयड्डगा भणिआ॥२२०॥
અન્વયાર્થ :
પરવિ = ગૃહવાસને ત – વેવ = અને તેના = ગૃહવાસત્યાગના, ફળને = ત્યજીને મોહારવંતા = મોહને પરતંત્ર એવા સાધુઓ દિી ન ય પત્રફ = ગૃહી નથી અને પ્રવૃતિ નથી, સંસારપયટ્ટ મ૩િ =(પરંતુ) સંસારના પ્રવર્ધક કહેવાયા છે.
ગાથાર્થ :
ઘરવાસનો અને ઘરવાસત્યાગના ફળનો ત્યાગ કરીને મોહને પરતંત્ર છતા સાધુઓ ગૃહસ્થ નથી અને સાધુ નથી, પરંતુ સંસારને વધારનારા કહેવાયા છે.
ટીકા :
त्यक्त्वा गृहवासं दीक्षाभ्युपगमेन, तस्य फलं चैव गृहवासत्यागस्य फलं प्रव्रज्या तां च त्यक्त्वा विरुद्धासेवनेन, मोहपरतन्त्राः सन्तो, नगृहिणः प्रकटवृत्त्या तस्य त्यागात्, न च प्रव्रजिता विहितानुष्ठानाकरणात्, त एवंभूताः संसारपयड्डग त्ति संसाराकर्षकाः दीर्घसंसारिण इत्यर्थः भणितास्तीर्थकरगणधरैरिति गाथार्थः॥२२०॥
ટીકાર્ય :
દીક્ષાના સ્વીકાર દ્વારા ગૃહવાસને ત્યજીને અને વિરુદ્ધના આસેવન દ્વારા તેના ફળને અર્થાત્ ગૃહવાસત્યાગનું ફળ પ્રવજ્યા અને તે પ્રવજ્યાને, ત્યજીને મોહને પરતંત્ર છતા સાધુઓ ગૃહી નથી ઘરવાળા નથી; કેમ કે તેનો ગૃહવાસનો, પ્રગટ વૃત્તિથી ત્યાગ છે; અને પ્રવૃતિ નથી=પ્રવ્રજ્યા લીધેલા નથી; કેમ કે વિહિત અનુષ્ઠાનનું અકરણ છે અર્થાત્ ભગવાને વિધાન કરેલ અનુષ્ઠાન કરતા નથી. આવા પ્રકારના તેઓ=મોહને પરતંત્ર સાધુઓ, તીર્થંકર-ગણધરો વડે સંસારના આકર્ષક દીર્ઘ સંસારવાળા, કહેવાયા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૨૨ના અવતરણિકા :
उपसंहरन्नाह
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org