________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૨૧૮-૨૧૯
૩૦૯
ભાવાર્થ :
જે સાધુઓ ચારિત્રના પરિણામને સ્પર્યા વગર દ્રવ્યથી દીક્ષા ગ્રહણ કરનારા છે, ભિક્ષા કે વસ્ત્રપાત્રાદિમાં રાગભાવ ધારણ કરનારા છે, સારી ભિક્ષા તથા સારાં વસ્ત્રાદિ ન મળે ત્યારે પ્રાપ્ત થયેલા તે ભિક્ષાદિ પદાર્થો પ્રત્યે અને તે ભિક્ષાદિ આપનાર પ્રત્યે દ્વેષાત્મક ભાવ ધારણ કરનારા હોવાથી કલુષિત ચિત્તવાળા છે અને સંયમ શું છે, તે નહીં જાણતા હોવાથી અજ્ઞાની છે અર્થાત્ શાસ્ત્રો વાંચવા છતાં પરમાર્થને પ્રાપ્ત નહીં કરતા હોવાથી મૂર્ખ છે; તેવા સાધુઓને ભિક્ષા ગ્રહણ કરવાનો, યાચના કરીને વસતિ ગ્રહણ કરવાનો કે પાત્રાદિ ગ્રહણ કરવાનો ભગવાને નિષેધ કર્યો છે; કેમ કે તેઓના ભિક્ષાદિના ગ્રહણથી ધર્મનું લાઘવ થાય છે અને તેઓની ભિક્ષાટનાદિની ક્રિયા પણ તેઓના સંસારમાં પરિભ્રમણનું કારણ બને છે.
વળી, આવા સાધુઓ પેટ ભરવા માટે ભિક્ષા ગ્રહણ કરે છે, અને સાધ્વાચારને અનુકૂળ ભિક્ષાટનની યતનાઓ કરતા નહીં હોવાથી આરંભાદિના કરણ, કરાવણ અને અનુમોદનના દોષો તેઓને પ્રાપ્ત થાય છે. તેથી તે પ્રકારના પજીવનિકાયના ઉપમદનની પ્રવૃત્તિ કરવા દ્વારા તેઓ આરંભથી યુક્ત હોય છે, અને આવા અશુદ્ધ સાધ્વાચારનું પાલન કરતા હોવાથી જાણી શકાય એવા મિથ્યાત્વાદિ ભાવોથી તેઓ રંજિત હોય છે.
વળી, પેટ ભરવા માટે સાધુવેશ ગ્રહણ કરીને ભિક્ષા માટે ફરનારા જીવો સ્વભુજાબળથી ધન કમાઈને જીવનનિર્વાહ કરતાં નથી અને ભિક્ષુકની જેમ ભીખ માંગીને જીવે છે. માટે તેઓ દીન છે.
આવા સાધુઓની ભિક્ષાગ્રહણાદિની પ્રવૃત્તિ પાપના ઉદયથી થાય છે અને સંસારવૃદ્ધિનું કારણ બને છે, પરંતુ સુસાધુની જેમ ભિક્ષા આપનાર અને લેનારને મોક્ષનું કારણ બનતી નથી. આથી ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીએ ગાથા-૧૮૦ થી કહેલ કે પાપના ઉદયથી ગૃહવાસનો પરિત્યાગ થાય છે, એ વાત આવા સાધુઓને આશ્રયીને યુક્ત છે. ર૧૮ | અવતરણિકા :
कस्य पुनः कर्मणः फलमिदमित्याह - અવતરણિતાર્થ :
વળી આ=પૂર્વગાથામાં બતાવેલ સંસારના ફળવાળું ભિક્ષાટન, ક્યા કર્મનું ફળ છે? એ પ્રમાણે કહે છે
ગાથા :
ईसिं काऊण सुहं निवाडिआ जेहिं दुक्खगहणंमि।
मायाए केइ पाणी तेसिं एआरिसं होइ ॥ २१९ ॥ અન્વયાર્થ :
હિં = ઇષ સુદં = સુખને પ = કરીને હિં = જેઓ વડે રે પાછી = કેટલાક પ્રાણીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org