SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ” દ્વાર | ગાથા ૧૯૧ પણ, ગૃહાદિમાં ભાવના છે = પ્રાપ્તિ વગેરેની ચિંતા થાય છે. આ પ્રકારની ધર્મ સાથે વિરોધવાળી અશુભ ચિતા પાપથી જ થાય છે. મૂળગાથામાં મસળેલુ વિ પછી હરિપુ એ પ્રકારનો શબ્દ અધ્યાહાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પાપાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા વૈભવવાળા રાજા પણ રાજ્યવૃદ્ધિની, પ્રતિકૂળ રાજાને અનુકૂળ કરવા વગેરેની ચિંતા કરે છે, અને આવા પ્રકારની ચિંતાથી વ્યાપ્ત શરીરવાળો જીવ પ્રાપ્ત થયેલા ભોગોને પણ ભોગવતો નથી, તો પછી વિશિષ્ટ પ્રકારના અપ્રમાદથી સાધ્ય એવો ધર્મ તો ક્યાંથી સેવે ? સામાન્ય રીતે જીવો વિષયોમાં અતિ વૃદ્ધિવાળા હોય ત્યારે અધિક-અધિક વિષયો મેળવવાની ચિંતામાં વ્યાકુળ હોવાને કારણે સ્વસ્થતાથી ભોગોને પણ ભોગવી શકતા નથી, પરંતુ જ્યારે જીવ શાસ્ત્રીય પદાર્થોને સારી રીતે ભાવન કરે અને તેના બળથી વિશેષ પ્રકારનો અપ્રમાદભાવ કેળવે, ત્યારે તે જીવ ધર્મ કરી શકે છે. તેથી સંસારમાં રહેલા સર્વ જીવો ધર્મ કરી શકતા નથી, ફક્ત જે લોકોને વિષયો પ્રત્યેનું આકર્ષણ ઓછું છે, તેઓ ગૃહસ્થાવસ્થામાં રહીને આંશિક ધર્મ કરી શકે છે. આથી જેઓને સર્વથા વિષયોનું આકર્ષણ નથી, તેવા જીવો પ્રવ્રજયા ગ્રહણ કરીને વિશેષ પ્રકારનો ધર્મ સાધી શકે છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. આ રીતે ગાથા-૧૯૦ અને ૧૯૧ના ત્રણ પાદ દ્વારા અકુશલાનુબંધી પુણ્યના ઉદયથી મળેલા ગૃહાદિમાં પણ જીવને ધર્મ દુષ્કર બતાવ્યો. હવે અકુશલાનુબંધી પાપના ઉદયથી નહીં મળેલા ગૃહાદિમાં પણ જીવને ધર્મ આરાધવો દુષ્કર છે, તે બતાવતાં કહે છે જે જીવોને પાપાનુબંધી પાપના ઉદયથી વૈભવાદિ મળેલ ન હોય તેઓ પણ, “હું કઈ રીતે યત્ન કરું?, જેથી મને વૈભવાદિ મળે ?” ઇત્યાદિ વિચારણાઓ કરે છે; કેમ કે તેઓને પણ ભોગોમાં રાગનો પરિણામ વર્તે છે. આથી અપ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરવાની ચિંતામાં તેઓ વ્યાકુળ હોય છે અને વિષયોમાં ગાઢ રાગ હોવાને કારણે ધર્મની વિરોધી એવી અશુભ ચિંતા તેઓને પાપના ઉદયથી સદા વર્તે છે. તેથી તેઓ ધર્મને કેવી રીતે સેવી શકે ? આ પ્રમાણે જાણીને વિષયો પ્રત્યેનો રાગ ઘટાડવા માટે સદા પ્રયત્ન કરવો જોઇએ અને જેઓને સર્વથા વિષયોમાં રાગ નથી તેવા મહાત્માઓ પ્રવ્રજયા ગ્રહણ કરે છે, આ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. ||૧૯૧). અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : ગાથા-૧૯૧ ના ચોથા પાદમાં કહેલું કે અવિદ્યમાન પણ ગૃહાદિમાં આ પ્રકારે ભાવના છે. એ ભાવનાને જ કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy