________________
૨૪૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘ક’ દ્વાર | ગાથા ૧૦૫ विधिकारकस्य = सूत्राज्ञासम्पादकस्येति,कुत ? इत्याह-आज्ञाराधनभावत एव = भगवदाज्ञासम्पादनादेवेति गाथार्थः | ૨૭૬ * “કુવામોવિ” માં વિધિકારક ગુરુને થોડા પણ આજ્ઞાભંગાદિ દોષો તો થતા નથી, પરંતુ થોડો મૃષાવાદ પણ થતો નથી, તેમ ‘પ' થી સમુચ્ચય કરવાનો છે.
જિ” માં ઘણો મૃષાવાદ તો થતો નથી, પરંતુ થોડો પણ મૃષાવાદ થતો નથી. તેમ જિ' થી સમુચ્ચય કરવાનો છે. ટીકાર્ય :
અને વિરતિનો પરિણામ નહીં હોતે છતે કહેવાયેલ લક્ષણવાળા ગુરુને ઇષ પણ = મનાકપણ, મૃષાવાદ પણ થતો નથી; કેવા વિશિષ્ટ ગુરુને? એ પ્રકારની શંકામાં કહે છે- વિધિના કારક = સૂત્રની આજ્ઞાનું સંપાદન કરનાર, એવા ગુરુને મૃષાવાદ પણ થતો નથી. ક્યા કારણથી? એથી કહે છે- આશાનાઆરાધનાનો ભાવ હોવાથી જ = ભગવાનની આજ્ઞાનું સંપાદન હોવાથી જ, થોડો પણ મૃષાવાદ થતો નથી એમ અન્વયછે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
દીક્ષા લેવા માટે તત્પર થયેલા મુમુક્ષુની યોગ્યતા જોઈને ગુરુ તેને વિધિપૂર્વક દીક્ષા આપતા હોય અને દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુને દીક્ષા ગ્રહણકાળમાં વિરતિનો પરિણામ વર્તતો ન હોય તોપણ, ભગવાનની આજ્ઞાની આરાધનાનો ભાવ હોવાથી શાસ્ત્રની આજ્ઞાનું સંપાદન કરનાર ગુરુને થોડો પણ મૃષાવાદ થતો નથી. અર્થાત્ ભગવાનની આજ્ઞા છે કે “યોગ્ય જીવને વિધિપૂર્વકદીક્ષા આપવી, પરંતુ શિષ્યના લોભથી કે પર્ષદા આદિની વૃદ્ધિ માટે દીક્ષા ન આપવી”, અને તે પ્રકારના પરિણામપૂર્વક ગુરુ યોગ્ય જીવને દીક્ષા આપતા હોય તો, ગુરુ દ્વારા ભગવાનની તે પ્રકારની આજ્ઞાની આરાધના થાય છે. તેથી આજ્ઞાના આરાધક એવા ગુરુને થોડો પણ મૃષાવાદનો દોષ લાગતો નથી.
વળી, ગાથા-૧૬૭ માં પૂર્વપક્ષીએ કહેલ કે શિષ્યને પણ મૃષાવાદની પ્રાપ્તિ થશે. તે કથનનું પ્રસ્તુત ગાથામાં ગ્રંથકારે નિરાકરણ કરેલ નથી, પરંતુ અર્થથી તેનું પણ નિરાકરણ નીચે પ્રમાણે સમજવાનું છે
ભગવાનની આજ્ઞા છે કે “પોતાને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયેલો હોય અને પોતે સંયમ પાળી શકે તેવી પોતાની યોગ્યતા જણાતી હોય, તેવા મુમુક્ષુએ યોગ્ય ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી જોઇએ અને તે પ્રકારે દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુ ભગવાનની આજ્ઞાની આરાધના કરે છે. તેથી દીક્ષા ગ્રહણકાળમાં તે યોગ્ય જીવના ઉપયોગનો પ્રકર્ષ થાય તો તેને ભાવથી વિરતિનો પરિણામ પ્રગટ થાય છે.
આમ છતાં, પ્રબળ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોય, અથવા તો દીક્ષા ગ્રહણકાળમાં તેનો ઉપયોગનો પ્રકર્ષ ન થયો હોય, અથવા તો તેવો સૂક્ષ્મબોધ ન હોય, તેના કારણે તે મુમુક્ષુમાં વિરતિનો પરિણામ પ્રગટ ન થાય, તોપણ વિરતિ ગ્રહણ કર્યા પછી તે યોગ્ય જીવ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરે તો તેને પાછળથી પણ વિરતિનો પરિણામ પ્રગટ થઈ શકે છે. માટે આવા આરાધક શિષ્યને દીક્ષાગ્રહણકાળમાં વિરતિનો પરિણામ પ્રગટ ન થયો હોય, તો પણ, ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર હોવાથી તેને થોડો પણ મૃષાવાદનો દોષ લાગતો નથી. ૧૭૫ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org