SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૮ અન્વયાર્થ : નહીં=જે કારણથી નળ યતિઓનાં તાળ તેઓ=જ્ઞાનાદિ, વિશુદ્ધ હૃતિકવિશુદ્ધ હોય છે, તેureતે કારણથી તેfસ તુeતેઓનું જ=ધતિઓનું જ, તંત્રએ=પ્રાધાન્ય, ગુજંયુક્ત છે, (ગૃહસ્થોનું પ્રાધાન્ય યુક્ત કેમ નથી? તેમાં અન્ય યુક્તિ બતાવે છે-) = =અને જે કારણથી સારંગ પાવડ=આરંભ પાપનો હેતુ હોરૅ=છે, gિ=એથી કરીને પણ સાધુઓનું જ પ્રાધાન્ય યોગ્ય છે.) ગાથાર્થ : જે કારણથી યતિઓનાં જ્ઞાનાદિ વિશુદ્ધ હોય છે, તે કારણથી ચતિઓનું જ પ્રાધાન્ય યુક્ત છે. ગૃહસ્થોનું પ્રાધાન્ય કેમ યુક્ત નથી? તેમાં અન્ય યુક્તિ બતાવે છે કે, જે કારણથી આરંભ પાપનો હેતુ છે, જેથી કરીને પણ સાધુઓનું જ પ્રાધાન્ય યોગ્ય છે. ટીકા : तानि च ज्ञानादीनि यतीनां प्रव्रजितानां यस्माद् भवन्ति विशुद्धानि-निर्मलानि, तेन हेतुना तेषामेव यतीनां तत् प्राधान्यं युक्तं, आरम्भश्च भवति यद्-यस्मात् पापहेतुः, इति-अतोऽपि तन्निवृत्तत्वात्तेषामेव प्राधान्यं युक्तमिति गाथार्थः ॥ ७८ ॥ ટીકાર્ય : અને જે કારણથી તેઓ=જ્ઞાનાદિ, યતિઓના=પ્રવ્રજિતોના=પ્રવ્રયા ગ્રહણ કરેલ સાધુઓના, વિશુદ્ધ =નિર્મલ, હોય છે; તે હેતુથીeતે કારણથી, તેઓનું જ=ધતિઓનું જ, તે=પ્રધાનપણું, યુક્ત છે. અને જે કારણથી આરંભ પાપનો હેતુ છે, એથી પણ તેનાથી=આરંભથી, નિવૃત્તપણું હોવાથી તેઓનું જ યતિઓનું જ, પ્રાધાન્ય યુક્ત છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગૃહસ્થોને “સુસાધુની ભક્તિ કરવી તે મારું કર્તવ્ય છે” એ પ્રકારનું જ્ઞાન હોય છે અને સાધુઓને સંયમમાં સહાય કરવાનો શુભ અધ્યવસાય પણ હોય છે; જ્યારે હળાદિને આવું જ્ઞાન કે શુભ અધ્યવસાય હોતો નથી, એમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે આવું જ્ઞાન અને આવો અધ્યવસાય ગૃહસ્થો કરતાં તો સાધુઓને અધિક નિર્મલ હોય છે. તે આ રીતે યતિઓને “ભગવાનના વચન પ્રમાણે ચાલવું એ જ એકાંતે હિતકર છે” એ પ્રકારનું જ્ઞાન હોય છે, અને જગતના જીવમાત્રને કાંઇ પીડા ન થાય, કોઈની સાથે અનુચિત પ્રવૃત્તિ ન થાય અને એકાંતે સ્વ-પરનું હિત થાય, તેવો અધ્યવસાય હોય છે. તેથી ગૃહસ્થો કરતાં યતિઓનું જ્ઞાન અને અધ્યવસાય નિર્મલતર હોવાથી ગૃહસ્થો કરતાં યતિઓનું પ્રાધાન્ય યુક્ત છે. વળી, ગૃહસ્થો આરંભમાં પ્રવૃત્ત થયેલા છે, તે પાપનું કારણ છે, અને યતિઓ તે પાપનું કારણ એવા આરંભથી નિવૃત્ત થયેલા છે, આથી પણ સાધુઓનું જ પ્રાધાન્ય યુક્ત છે. I૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy