________________
પ્રવજ્યાવિધાનવસ્તક / સંકલના
આ પ્રકારના પૂર્વપક્ષનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે ગૃહસ્થો ગૃહર્તવ્યતામાં મૂઢ થયા વગર પરના હિતમાં રક્ત હોય તો પણ પોતાને પ્રાપ્ત થયેલ ગૃહ, ધનાદિ પ્રત્યે મમત્વબુદ્ધિ હોવાથી તેઓ વિશેષ ધર્મધ્યાન કરી શકતા નથી, જ્યારે નિર્મમ એવા સાધુઓ અનુકૂળતા અને પ્રતિકૂળતામાં સમાન ચિત્તવાળા હોવાને કારણે અનુકૂળ સંયોગોમાં પણ મૂછ નહીં હોવાથી ધર્મધ્યાન કરી શકે છે અને પ્રતિકૂળ સંયોગોમાં પણ વ્યાકુળતા નહીં હોવાથી ધર્મધ્યાન કરી શકે છે, તેથી તેઓને ભિક્ષા, રહેવા માટે ઉચિત સ્થાનાદિ મેળવવામાં પણ સંક્લેશ થતો નથી, પરંતુ સમભાવની વૃદ્ધિ થાય છે અને આવા સાધુઓ ગૃહવાસમાં હતા ત્યારે પણ જો પૂર્વના પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ સ્વજન, વૈભવાદિ પ્રત્યે અને ભોગો પ્રત્યે આસક્તિ ન હોય તો સુખી હોય છે અને ભોગાદિથી સંપૂર્ણ વિરક્ત થઈને સંયમું ગ્રહણ કરે છે ત્યારે પણ પુણ્યના પરિપાકને કારણે વિરક્તભાવ થવાથી તેઓને અધિક સુખ થાય છે, તેથી આવા નિર્લેપ મુનિઓનો ગૃહવાસનો ત્યાગ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થાય છે; પરંતુ જેઓ અનુકૂળતાના અર્થી છે, તેઓ માટે પ્રવજ્યા સુખરૂપ નહીં બનતી હોવાથી તેઓ સંયમજીવનમાં જે કંઈ કષ્ટો વેઠે છે તે શુભભાવની વૃદ્ધિનું કારણ નહીં બનતા હોવાથી કલ્યાણનું કારણ પણ બનતા નથી, આથી તેવા સાધુઓનો ગૃહવાસનો ત્યાગ પાપના ઉદયથી થાય છે, એમ કહેવામાં કોઈ વિરોધ નથી.
આનાથી એ ફલિત થયું કે જે જીવો ભવથી વિરક્ત થયા છે, સંયમગ્રહણ કર્યા પછી અધિક-અધિકતર વિરક્ત થાય છે. પ્રતિદિન ધર્મધ્યાનાદિથી ભાવિત ચિત્તવાળા બને છે, તેવા જીવોને આશ્રયીને ગૃહવાસનો ત્યાગ અને બાહ્ય ભોગાદિની અપ્રાપ્તિ ક્લેશનું કારણ બનતી નથી, તેથી તેઓ ભિક્ષાદિ અર્થે શાસ્ત્રવચનાનુસારી જે પ્રવૃત્તિઓ કરે છે તે પણ ધર્મધ્યાનાદિની વૃદ્ધિનું કારણ બને છે, જેથી તેઓના ઉપશાંત થયેલા ચિત્તમાં સુખની વૃદ્ધિ થાય છે, જે પ્રકર્ષને પામીને પૂર્ણ સુખમય મોક્ષનું કારણ બને છે. આથી કલ્યાણના અર્થીએ વિધિપૂર્વક પ્રવ્રયા ગ્રહણ કરીને અપ્રમાદભાવથી સંયમના યોગોમાં યત્ન કરવો જોઈએ, જેથી સર્વ અભિવૃંગથી રહિત એવા ઉત્તમ ચિત્તની પ્રાપ્તિ થાય.
આથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવ્રજ્યા સ્વીકારનાર પ્રવ્રજિતને ૧૨ મહિનાના સંયમપર્યાયમાં અનુત્તરવાસી દેવો કરતાં અધિક સુખ થાય છે એમ કહેલ છે. તેથી નક્કી થયું કે અધિકારી જીવ વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરે અને ગ્રહણ કરેલ પ્રવ્રયાનું અપ્રમાદથી પાલન કરે તો, તેનામાં નિર્લેપ ચિત્ત પ્રગટ થાય છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વાર્થસિદ્ધ કરતાં પણ અધિક સુખનો અનુભવ કરાવે છે, અને અંતે સર્વ કર્મનો ક્ષય કરાવીને જીવને વીતરાગ-સર્વજ્ઞ બનાવે છે.
છબસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતા કે અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં માંગું છું.
-પ્રવીણચંદ્ર ખીમજી મોતા. આસો વદ-૧૩, બુધવાર, વિ.સં.૨૦૧૧ તા. ૧૦/૧૧/૨૦૦૪ ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org