SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P ૭૮ અકલંક-પ્રતિષ્ઠાપાઠ, અકલંક-પ્રાયશ્ચિત્તસંગ્રહ, અકલંક-સ્તોત્ર, ન્યાયચૂલિકા અને સ્વરૂપસંબોધન રાજવાર્તિક સિવાયની અકલંકની સવૃિતિક ચારે કૃતિઓ લગભગ અષ્ટશતી જેવડી એટલે ૮૦૦ જેવડી છે. એમ ‘અકલંકગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ. ૪૧)માં સૂચવાયું છે. એમની આ પ્રસ્તુત કૃતિ, ન્યાયવિનિશ્ચય અને પ્રમાણસંગ્રહ એ ત્રણના સમુદાયને “અકલંકબૃહત્રયી” તરીકે ઓળખાવાય છે. પ્રસ્તુત સિદ્ધિવિનિશ્ચય એ પદ્યાત્મક કૃતિ છે. મંગલશ્લોક પછી કંટકશુદ્ધિને અંતે એક પદ્ય છે. આ કૃતિ બાર પ્રસ્તાવનામાં વિભક્ત છે. એનાં નામ નીચે મુજબ છે – (૧) પ્રત્યક્ષ-સિદ્ધિ, (૨) સવિકલ્પક-સિદ્ધિ, (૩) પ્રમાણાન્તર-સિદ્ધિ, (૪) જીવ-સિદ્ધિ, (૫) જલ્પ-સિદ્ધિ, (૬) હેતુલક્ષણ-સિદ્ધિ, (૭) શાસ્ત્ર-સિદ્ધિ, (૮) સર્વજ્ઞસિદ્ધિ, (૯) શબ્દ-સિદ્ધિ, (૧૦) P ૭૯ અર્થનયસિદ્ધિ, (૧૧) શબ્દનય-સિદ્ધિ અને ૯૧૨) નિક્ષેપ-સિદ્ધિ. આમ દરેક પ્રસ્તાવના નામના અંતમાં “સિદ્ધિ' શબ્દ છે. વિષય- પ્રથમ પ્રસ્તાવમાં પ્રત્યક્ષ પ્રમાણની સિદ્ધિ કરાઈ છે. એમાં ધર્મકીર્તિએ આપેલા પ્રત્યક્ષના લક્ષણનું ખંડન છે. દ્વિતીય પ્રસ્તાવમાં પ્રત્યક્ષના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર પ્રકારમાં પ્રમાણફલભાવ દર્શાવી એ સર્વે જ્ઞાનને સવિકલ્પક સિદ્ધ કર્યા છે. ત્રીજા પ્રસ્તાવમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અનુમાન અને આગમ એ પાંચે પ્રમાણરૂપ છે એમ સિદ્ધ કરાયું છે. ચોથા પ્રસ્તાવમાં એકાંત ક્ષણિકતાનું નિરસન કરી જીવની સિદ્ધિ કરાઈ છે. પાંચમા પ્રસ્તાવમાં ધર્મકીર્તિએ વાદન્યાયમાં પ્રરૂપેલાં અસાધનાંગવચન અને અદોષોદ્ભાવન નામનાં બે નિગ્રહસ્થાનોની વિવિધ વ્યાખ્યા કરી એનું ખંડન કરાયું છે. નૈયાયિકોને સંમત છલ, જાતિ વગેરે નિરર્થક છે એમ અહીં કહ્યું છે અને વાદ અને જલ્પને એક ગણેલા છે. છઠ્ઠા પ્રસ્તાવમાં ધર્મકીર્તિકૃત હેતુબિન્દુની પ્રથમ કારિકાનું વિસ્તૃત ખંડન છે. ૧. આ ૧૬ પદ્યનું સ્તોત્ર અન્ય અકલંકનું હશે એમ લાગે છે. D c G C M (Vol. XIX, sec. 1, pt. 2, pp. 202-204)માં મેં સોળ પદ્યના અકલંકાષ્ટકની નોંધ લીધી છે. ૨. આ દિ. નયસેનના શિષ્ય મહાસેનની કૃતિ હોવાનું મનાય છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૮)માં આ કૃતિનો સ્વરૂપસંબોધપંચવિંશતિ તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં અહીં કહ્યું છે કે આના ઉપરથી કન્નડ ટીકામાં તેમ જ નિયમસાર ઉપરની પદ્મપ્રભ મલધારિદેવની ટીકામાં આ કૃતિના કર્તા તરીકે મહાસેનનો ઉલ્લેખ છે. આ કૃતિ “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૨માં છપાઈ છે. આને અંગે ડો. ઉપાધ્યનો એક લેખ “ABORI” (Vol. XIII, PP 88 & 90)માં છપાયો છે. ૩. ન્યાયમુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૦-૫૨)માં વિસ્તારથી આનો વિચાર કરાયો છે, એ ઉપરથી અહીં સંક્ષિપ્ત પરિચય અપાયો છે. એ લખાયા બાદ સિદ્ધિવિનિશ્ચયટીકાની હિન્દી પ્રસ્તાવનામાં પરિચય છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy