SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ [14]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ ૩ જુદાજુદા વિષયના પ્રોફેસરો મળતાં ત્યારે તે તે વિષયના પ્રશ્નો તે તે પ્રોફેસરને પૂછું. ઉત્તરો મેળવું, મારે એટલી મહેનત બચે. આમ ભિન્નભિન્ન વિષયની જિજ્ઞાસા સંતોષાય અને તે તે વિષયનો લેખ લખી શકાય. તેમને પોતાના પુસ્તકો, લેખો, સંપાદનોની એક ખાસ્સી ચોપડી ભરીને યાદી પ્રકાશિત કરી છે. તેના ઉપરથી તેમને લખેલા લેખોના વિષયોનું વૈવિધ્ય અને વૈપુલ્ય જાણી શકાય છે. મારે પ્રત્યક્ષ મળવાનું તેમનો ઉત્તર કાળ ચાલુ હતો ત્યારે થયેલું. કહોને કે તેઓનો સ્વર્ગવાસ થયો તે પહેલાંના ૩ મહિના પહેલાં. તે વારે તેમના મનમાં ખૂબ ફિકર હતી કે “મારા લખેલા સેંકડો લેખોના કાગળ પણ પીળાં પડી ગયા છે જો કોઈ છપાવવાની હામ ભીડે અને ઉદારતા દર્શાવે તો લેખો પ્રકાશિત થઈ જાય અન્યથા મારા ગયા પછી આ બધી પસ્તી બની જશે.” આ લેખો પ્રકાશિત થાય તે માટે તેઓને જે કાંઇ કરવું પડે તે બધું જ કરવા તૈયાર અને તત્પર હતા. પણ છેલ્લે ભવિતવ્યતા વશ કાંઇ થઇ શકયું નહીં અને એ બધા માહિતીના ભંડાર જેવા લેખો એમ આકાશમાર્ગે ધૂમ્રસેર સ્વરૂપ ધારણ કરનારા બની ગયા ! આવી જ્ઞાન ક્ષેત્રની ઉદાસીનતાની વાત તે નવી વાત નથી. હવે થોડી વાત આ પ્રસ્તુત પ્રકાશન અંગે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' એ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઇના ભગીરથ પુરુષાર્થની છડી પોકારતો અદ્ભુત ગ્રંથ ! અનેક વિદ્વાનો દિવસમાં અનેકવાર શબ્દકોશની જેમ એને ઉપયોગમાં લેતા. એ જોઈને શ્રી કાપડિયાએ એજ દિશામાં એવું જ એક નક્કર પ્રદાન કહેવાય તેવું કામ હાથ ધર્યું. ખૂબ જ મોટું ગંજાવર કામ હતું કદાચ તેજ કરી શકે તેવું કામ હતું. “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” ભાગ-૧-૨-૩ અને તેનો ઉપોદ્ધાત આ કામ જોઈ વિદ્વાનોના માથા ડોલી ઉઠે છે. એ બધા વિષયો એક સાથે સુલભ બને તે હેતુથી આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજે પણ ભારે જહેમત લઈને આનું પુનઃ સંકલન કર્યું. ઠીકઠીક પુરુષાર્થ કરવો પડે છે આવા ઇતિહાસના જટિલ કામોમાં. સંવત અને નામોના જંગલમાં ફરીને તથ્યને બહાર લાવવાનું કામ અઘરું છે પણ ઉપયોગી ઘણું છે. જૈન ગૃહસ્થ વિદ્વાનોનો આજે દુકાળ પ્રવર્તે છે ત્યારે એ દિશામાં ચોક્કસ કોઈકે ડગ ભરવા જોઇએ. મહેસાણાના અધ્યાપકો અધ્યાપન કાર્ય માટે બરાબર છે પણ જૈન સાહિત્યની દર્શનશાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર આવી વિવિધ શાખામાં રસ ધરાવે તેવા યુવાનો આવા ક્ષેત્રમાં પદાર્પણ કરે તેવું વાતાવરણ સર્જવું પડે એને પ્રોત્સાહન આપવું પડે પ્રતિષ્ઠા આપવી પડે તો નીકળે પણ ખરા ! સાવ નિરાશ થવા જેવું નથી. અન્યથા આવા ગ્રન્થો માત્ર જ્ઞાનભંડારમાં કબાટોની શોભા બનીને રહી જશે. સંગ્રહણીય બને તેટલાથી સંતોષ ન ધરીએ પણ ગ્રાહ્ય બને તેવું કાંઇક કરીએ તો શ્રી હી. ૨. કાપડિયાને યોગ્ય અંજલિ આપી ગણાશે અને આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજનો શ્રમ લેખે લાગશે. આપણે શ્રી સંઘની બધી શાખા જો સહીયારો પુરુષાર્થ કરીએ તો જરૂર સફળતા મેળવી શકીશું. વિ. સં. ૨૦૬૦ પ્રથમ શ્રાવણ સુ. 3. શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય નવકાર ઉપાશ્રય-વાસણા-અમ-o પ્રધુમ્નસૂરિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy