SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૭૩-૭૬] : પદ્મનાભ-પુરાણ (લ. વિ. સં. ૧૬૦૦)– આના કર્તા દિ. જ્ઞાનભૂષણના શિષ્ય શુભચન્દ્ર છે. એમણે પોતાના પાંડવપુરાણની પ્રશસ્તિ (શ્લો. ૭૨)માં આ પદ્મનાભપુરાણનો પદ્મનાભરિત તરીકે ઉલ્લેખ કર્યો છે. આ પાંડવ-પુરાણનું પરિમાણ ૨૫૦૫ શ્લોક જેવડું છે. પદ્મનાભ-પુરાણ—આ સોમદત્તે રચ્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૬૦માં લખાયેલી મળે છે. એવી રીતે દિ. વિદ્યાભૂષણે રચેલા પદ્મનાભ-પુરાણની એક હાથપોથી વિ. સં. ૧૬૮૦માં લખાયેલી મળે છે. ૪૭ શ્રેણિક-પુરાણ—આ નામનું એકેક પુરાણ દિ. શુભચન્દ્રે અને બાહુબલિએ રચ્યું છે. એમાં ‘મગધ’ દેશના નૃપતિ શ્રેણિકનો વૃત્તાંત અપાયો છે. જયકુમાર-પુરાણ (વિ. સં. ૧૫૫૫)–આના કર્તા દિ. બ્રહ્મ કામરાજ છે. એમને આ ૧૩ સર્ગની રચનામાં જિનરાજે સહાય કરી હતી. પ્રભુરાજે જયકુમાર-ચરિત્ર રચ્યું છે. આ બંને કૃતિઓમાં જયકુમારનો જીવનવૃત્તાંત આલેખાયો હશે એમ આ નામો જોતાં ભાસે છે. પાંડવ-પુરાણ (વિ. સં. ૧૬૦૮)–આના કર્તા દિ. શુભચન્દ્ર છે. એમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, અને સહદેવ એ પાંચ પાંડવોનો અધિકાર છે. આ ૨૫ સર્ગના પુરાણની રચનામાં કર્તાના શિષ્ય શ્રીપાલ વર્ણીએ સહાયતા કરી હતી. આ પુરાણની પ્રશસ્તિમાં કર્તાએ પોતાની ચન્દ્રપ્રભચરિત્ર ઇત્યાદિ વિવિધ કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. સમાનનામક કૃતિઓ– દિ. શ્રીભૂષણે વિ. સં. ૧૬૫૭માં અને દિ. વાદિચન્દ્રે વિ. સં. ૧૬૫૮માં એકેક પાંડવ-પુરાણ રચ્યું છે. કર્ણામૃત-પુરાણ (વિ. સં. ૧૬૮૮)–આના કર્તા દિ. કેશવસેન છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૬૮)માં એમના નામની પાછળ કૌંસમાં કૃષ્ણ જિષ્ણુ લખેલું છે. વળી અહીં પ્રભાચન્દ્રકૃત કર્ણામૃતપુરાણનો પણ ઉલ્લેખ છે. આ પુરાણનો વિષય જાણવામાં નથી. અગડદત્ત-પુરાણ-આ અજ્ઞાતક કૃતિની જિ. ૨. કો. (વિ. ૧, પૃ.૧)માં બે હાથપોથી નોંધાયેલી છે. એમાં શુ શ્વેતાંબરીય *કૃતિઓમાં જે જાતની અગડદત્તની કથા છે તેવી કથા છે ? [વિશેષ માટે જુઓ—‘એ ન્યૂ વર્સન ઓફ અગડદત્ત સ્ટોરિ' ન્યૂ ઇન્ડીઅન એન્ટીક્વ૨ી ભા.૧. ઇ.સ.૧૯૩૮-૯] [પૃથ્વીચન્દ્રચરિત્ર– કર્તા જયસાગર (પૃ.૧૯૩) અને પદ્મસુન્દર (પૃ.૯૬) બન્નેની નકલ પ્રાકૃતટેક્ષ્ટ સો. અમદાવાદમાં છે.] ૧. અંતગડદસા (વર્ગ ૭ ને ૮)માં શ્રેણિકની પત્નીઓ વિષે અને અણુત્તરોવવાઈયદસા (વર્ગ ૧ ને ૨માં એમના પુત્રો વિષે ઉલ્લેખ છે.) ૨. બ્રહ્મદેવસેને તેમ જ રઇધૂએ પણ ધત્તામાં જયકુમાર-ચરિત્ર રચ્યું છે. એ બંને કૃતિ અપભ્રંશમાં હશે. ૩. આના શ્લો. ૭૨-૮૦ અને ૮૬ જૈ. સા. ઈ. (પૃ. ૫૩૨-૫૩૩)માં અપાયા છે. ૪. ઉત્તરજ્કયણની ચૂર્ણાિ (પત્ર ૧૧૬), વસુદેવહિડી (પૃ. ૩૭-૩૯), ઉત્તરજ્જીયણની ‘વાદિવેતાલ’ શાન્તિસૂરિષ્કૃત વૃત્તિ (પત્ર ૨૧૩-૨૧૬) અને એ આગમ ઉપરની નેમિચન્દ્રસૂરિકૃત ટીકા (પત્ર ૮૪-૯૪). Jain Education International For Personal & Private Use Only P ૭૬ www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy