________________
*
*
* અષ્ટાપદ પાવડી તપ *
*
[ ૮૭ ]
૬૦, અષ્ટાપદ પાવડી ત૫.
(અષ્ટાપદ ઓળી.) અષ્ટાપદ પર્વત ઉપર ચડવાને જે તપ, તે અષ્ટાપદ પાવડી તપ કહેવાય છે. તેમાં આ શુદિ આઠમથી પૂર્ણિમા સુધીના આઠ દિવસ તે એક અષ્ટાનિકા (એની) કહેવાય છે તે દિવસોમાં યથાશક્તિ ( ઉપવાસાદિક ) તપ કરે. પહેલી ઓળીએ તીર્થકરની પાસે સુવર્ણમય એક સપન (પગથીયું) કરાવીને મૂકવું. તથા તેની અષ્ટપ્રકારી પૂજા કરવી. એ પ્રમાણે આઠ વર્ષ સુધી આઠ સોપાન સ્થાપી તપ કરે. ઉઘાપને મેટી સ્નાત્રવિધિપૂર્વક ચવશ–વીશ પકવાન્ન, ફળ વિગેરે ઠેકવાં. આ તપનું ફળ દુલભ વસ્તુની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
અષ્ટાપદ તીર્થાય નમઃ” એ પદનું ગણું વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા.
બીજી રીતે આસો વદ અમાવાસ્યાથી આરંભી એકાંતરે આઠ ઉપવાસ કરવા. પારણે એકાસણું કરવું. એ પ્રમાણે આઠ વર્ષ કરવું. ઉદ્યાપને અષ્ટાપદ પૂજા, ધૃતમય ગિરિની રચના, સુવર્ણમય નીસરણીએ આઠ-આઠ પગથીયાવાળી આઠ કરાવવી. પવાન્ન તથા સર્વ જાતિનાં ફળ વીશ–વીશ ઠેકવાં. બીજી સર્વ વસ્તુ આઠ આઠ ટેકવી. (જેનપ્રબોધ'માં આ તપને અષ્ટાપદ એળી પણ કહે છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org