________________
* * . તીર્થકર માતૃતપ * [ પ ] પૌષધ ન થઈ શકે તે આરંભાદિક કાચ ન કરે.) “શ્રી વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૫૮, તીર્થકર માતૃતપ. તીર્થકરેની માતાની આરાધના માટે આ તપ છે. તેને ભાદરવા સુદ સાતમને દિવસે આરંભ કરી શુદિ તેરસ સુધી દૂધ, દહીં, ઘી, કર (દહીં-ભાત), ક્ષીર, લાપસી અને ઘેબર વડે શ્રી જિનમાતાની પૂજા કરી (આગળ ધરી) હંમેશાં એકાસણાદિક તપ કરે, તે તપ સાત વર્ષ સુધી કરો. પરંતુ બે વરસે અથવા દર વરસે આ પ્રમાણે ઉઘાપન કરવું-ભાદરવા શુદિ ચૌદશને દિવસે ચાવીશ-વીશ પુડા, પુરી, પકવાન્ન, ફળ વિગેરે જિનમાતા પાસે ઢોકવાં. તથા પુત્રવાળી ચેવીશ શ્રાવિકાને વસ, અંગરાગ, તાંબૂલ વિગેરે આપવું. પછી સાતમા વર્ષના ઉદ્યાપનમાં શ્રી જિનમાતાની આગળ સાતમને દિવસે તેલ ઢેકવું. આઠમે ધી, નવમીએ પકવાન્ન, દશમીએ ગાયનું દૂધ, અગીયારસે દહીં, બારસે ગોળ, અને તેરસે ખીચડી, વડી કણિક (લેટ), હરડે, ધાણા, મેથી, ગુંદર, આંજણ, શલાકા, સાત-સાત પાન, સોપારી વિગેરે ઢેકવાં. પુત્રવાળી શ્રાવિકાને શ્રીફળ આપવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ પુત્રપ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે, શ્રી જિનમાર્ગે નમઃ એ પદની નવકારવાળી વીશ ગણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org