________________
[ ૮૪ ] * * તપાવલિ * * *
ઉપર પ્રમાણે અગીયાર શુકલ એકાદશીએ ઉપવાસ કરી મૌન ધારણ કરવું. એમ ‘પંચાશકમાં તથા પ્રત્યંતરમાં કહ્યું છે. “શ્રી શ્રુતદેવતાયે નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી.
૫૭, રોહિણું તા. આ તપ રહિણી નક્ષત્રમાં થાય છે, તેથી તે રોહિણી તપ કહેવાય છે. તે તપ અક્ષયતૃતીયાને દિવસે અથવા તેની આગળ-પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે શરૂ થાય છે. તે ત૫ શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજાપૂર્વક સાત વર્ષ અને સાત માસ સુધી કરે. એટલે માસ–માસે જ્યારે રોહિણી નક્ષત્ર હોય તે તે દિવસે ઉપવાસાદિક (ઉપવાસ, આયંબિલ, નવી વિગેરે) તપ કરે. જે કદાચ એક પણ રોહિણી નક્ષત્ર ભૂલી જવાય તે ફરીથી પ્રથમથી આરંભ કરે. ઉદ્યાનમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાની મોટી સ્નાત્રવિધિ પૂજા કરીને સુવર્ણમય અશોકવૃક્ષ હેક. ( પ્રત્યંતરના મતે સુવર્ણમય સેમરાજા તથા અશક યુક્ત રોહિણી રાણું તથા વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા કરાવી દેવ પાસે ઢાકવી. એકસે ને એક સંખ્યા પ્રમાણુ મોદક, ફળ, દીપ, વિગેરે ઢેકવાં) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અવિધવા પણું તથા સૌભાગ્ય સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (આ તપ, પૌષધપૂર્વક ઉપવાસ કરીને કરવાનો પ્રચાર છે. અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org