________________
*
*
.*
અંબા તપ
*
*
[ ૮૩ ]
૫૫, અંબા ત૫. અંબાદેવીની આરાધના માટે આ તપ છે. તેમાં પાંચ માસની શુકુલ પાંચમને દિવસે એકાસણાદિક તપ કરે, અને તે દિવસે નેમિનાથ તથા અંબાદેવીનું પૂજન કરવું. ઉઘાપને ઉત્તમ ધાતુની અંબાદેવીની મૂર્તિ કરાવી તેની સ્થાપના કરવી. શાક્ત વિધિએ તેની હંમેશાં પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી આ તપ કરવાથી અંબાદેવી પાસેથી વરદાનની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ( જૈનપ્રબોધમાં કૃષ્ણપક્ષની પંચમીએ કરવાનો કહ્યો છે. તથા ઉજમણે સાધુને નવાં વસ્ત્ર, અન્ન વિગેરે આપી પ્રતિલાભવા, અને અંબાની મૂતિ બે પુત્ર સહિત તથા આમ્રની લુ સહિત કરાવવી, પછી તેનું પૂજન કરવું, એમ કહ્યું છે.) ગણણું “શ્રી અંબિકાદેવ્યે નમ: એ પદની નવકારવાળી વીશ પ્રમાણ ગણવું.
૫૬, મૃતદેવતા ત૫. શ્રીદેવીની આરાધના માટે આ તપ છે, તેમાં અગીયાર શુકલ એકાદશીને દિવસે શ્રુતદેવીની પૂજા પૂર્વક યથાશક્તિ એકાસણાદિક તપ કર. ઉઘાપને મૃતદેવીની મૂતિ ઉત્તમ ધાતુની બનાવી તેની પ્રતિષ્ઠા કરવી, તથા વિધિ પ્રમાણે પૂજા કરવી. આ તપનું ફળ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org