SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ * * * અક્ષયનીધિ તપ * * [ ૭૩ ] ઉપર લીલું, પીળું રેશમી વસ્ત્ર વીંટી ઉપર પુલની માળા પહેરાવી ભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવા. તથા નૈવેદ્યમાં સવ જાતનાં પકવાન્ન, સુખડી વિગેરે યથાશક્તિ કરાવી તેના થાળ પણ ભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂક્યા. એ રીતે વડા સહિત દહેરાસર આવવું. કુંભવાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂક. પછી નૈવેદ્ય પણ પ્રભુ પાસે મૂકવું. જ્ઞાનના પુસ્તકને ગુરૂને સ્થાનકે પધરાવી ગુરૂપૂજા તથા પુસ્તકપૂજા રૂપાનાણાથી કરવી. ભાદરવા શુદિ ૪ ને દિવસે તપની સમાપ્તિ કરવી. તે તપના દિવસોમાં નિરંતર એકાસણું અથવા બેસણું કરવું. છેલ્લે સંવત્સરીને દિવસે ઉપવાસ કરે. શુદિ ૫ ને રોજ પારણું કરવું. સ્વામીવાત્સલ્ય, પ્રભાવના વિગેરે કરવું. એ રીતે ચાર વર્ષ સુધી આ તપ કરવાનો નિયમ છે. જેટલા જણ તપ કરતા હોય, તે દરેકે જૂદા જૂદા કુંભ મૂકવા. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. અક્ષયનીધિ તપની વિધિ. પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમવા, પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! અક્ષયનીધિ તપ આરાધન નિમિત્તે ચૈત્યવંદન કરું? ઈચ્છ, કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું શાસનનાયક સુખ કરણ, વર્ધમાન જિનભાણ; અહનિશ એહની શિર વહુ, આણું ગુણમણિખાણું. ૧ તે જિનવરથી પામીયા, ત્રિપદી શ્રી ગણધાર, આગમ રચના બહુવિધ, અર્થ વિચાર અપાર. ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy