________________
* * * શ્રી મહાવીર તપ * * [ ૬૫ ] આરંભી માઘ શુદી પૂર્ણિમાએ પૂરો કરે, તેમાં હંમેશાં સ્નાન કરીને અરિહંતની પૂજા કરી નિરંતર એકાસણું કરવાં. આ તપ એકવીશ દિવસે પૂર્ણ થાય છે. એ પ્રમાણે ચાર વર્ષ સુધી કરવું. ઉદ્યાપને મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી સુવર્ણ તથા મણિથી ગર્ભિત એવો વ્રતને મેરૂ બનાવી દેવ પાસે ઢેક. પક્વાન્ન, ફળ વિગેરે યથાશકિત ઢોકવાં મુનિને દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ કેવળ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૪૫, શ્રી મહાવીર ત૫. શ્રી મહાવીરસ્વામીએ છદ્યસ્થ અવસ્થામાં જે તપ કર્યો તે મહાવીર તપ કહેવાય છે, તેમાં બાર વર્ષ અને તે પક્ષ એટલે સાડા છ માસ સુધી દશ-દશ ઉપવાસે પારણુ કરીને તપ પૂર્ણ કરે.
ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા આગળ સુવર્ણમય વટ વૃક્ષ ઢેક તથા સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપનું ફળ કમને ક્ષય થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણામાં “શ્રી મહાવીરસ્વામીને નમઃ” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org