________________
[ ૬૪ ]
*
*
તપાવલિ
*
*
*
૪૩, આયંબિલ વાદ્ધમાન તપ.
આયંબિલવડે વૃદ્ધિ પામતે જે તપ તે આયંબિલ વર્લ્ડ માન તપ કહેવાય છે, તેમાં ઉપવાસના આંતરવાળા આયંબિલ એકથી આરંભીને સે સુધી ચઢતાં–ચઢતાં કરવાં એટલે કે પ્રથમ એક આયંબિલ કરી ઉપવાસ કર, પછી બે આયંબિલ ઉપર ઉપવાસ કરો, પછી ત્રણ આયંબિલ ઉપર ઉપવાસ કરે, આ પ્રમાણે ચઢતાં-ચઢતાં સો આયંબિલ ઉપર ઉપવાસ કરે. આ રીતે કરતાં ચૌદ વર્ષ ત્રણ માસ અને વિશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક ચોવીશ જિનની પૂજા કરવી, મુનિને દાન દેવું. સંઘપૂજા સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ તીર્થંકર નામકમને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર કરવા.
આ મહાન તપ છે, અને પુણ્યશાળી જીવ જ તેને સાવંત પૂર્ણ કરી શકે છે. આ તપ શ્રીચંદ કેવળીએ પૂર્વ ભવે કર્યો હતે.
૪૪, માઘમાળા ત૫. માઘ માસમાં માળારૂપે કરવાને જે તપ તે માઘમાળા તપ કહેવાય છે. તે તપ પોષ વદ દશમને દિવસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org