________________
* * કલ્યાણક અષ્ટાહ્નિકા તપ * [ ૬૩ ] ૪૨, કલ્યાણક અછાહિનકા ત૫.
ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણક વડે સંયુક્ત થયેલા આઠ-આઠ દિવસ હોવાથી કલ્યાણક અષ્ટહિનકા નામે તપ કહેવાય છે, તેમાં અષભાદિક એક–એક તીર્થકરના એક-એક કલ્યાણકને આશ્રયીને આઠ આઠ એકાસણાં કરવાથી ચાલીશ એકાસણાં વડે એક તીર્થકરના કલ્યાણકને તપ પૂર્ણ થાય છે. એ રીતે બીજા ત્રેવીશ તીર્થકરેના કલ્યાણ કોને આશ્રયીને ચાલીશ-ચાલીશ એકાસણ કરવાથી કલ્યાણક અષ્ટાનિકા તપ પૂર્ણ થાય છે. સર્વ મળીને ૯૬૦ એકાસણાં થાય છે. કદાચ એક તીર્થકરથી બીજા તીર્થકરના કલ્યાણક તપની વચ્ચે આંતર પડે તે તેમાં અડચણ નથી, પણ ચાલીશ એકાસણાની અંદર તે આંતરે પડે ન જોઈએ. ઉદ્યાપનમાં એકસો ને વશ વિશ (અથવા માત્ર વીશચવીશ ) પકવાન્ન, ફળ વિગેરે મટી સ્નાત્રવિધિપૂર્વક ઢોકવા. સાધુને વસ્ત્ર, અન્ન, પાત્ર વિગેરેનું દાન દેવું. સંઘવાત્સલ્ય સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થંકર નામકમનો બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થકરના જે કલ્યાણકને તપ ચાલતું હોય તે તે તીર્થ કરના નામનું ગણું ગણવું.
* આવો પાઠ અ, બ, વિગેરે પ્રતિઓમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org