________________
* * * ચેકપૂર્વ ત૫ * * [ પ ] આઠમી-નવમી ભેગી કરે [ ૧૭ ઉપવાસ લાગટ કરે ] તે એ બે પદનો ભેગો બે લાખ જાપ કરે.
પ્રથમ પદને તપ કરે ત્યારે સાત દિન સુધી “નમો અરિહંતાણ” ને એક લાખ જાપ કરે, એવી રીતે જે જે પદને તપ કરે, તે તે પદને જાપ એક લાખ કરે, અને જે શક્તિ ન હોય તે દરેક પદનું બે હજાર ગણણું ગણે સાથીયા-ખમાસમણ વિગેરે પૂર્વની પેઠે જાણવાં.
૩૧, ચૌદ પૂર્વત". ચૌદ પૂર્વની આરાધના માટે જે તપ, તે વૈદ પૂર્વ તપ કહેવાય છે. તેમાં શુભ મુહૂર્ત શુદિ ચૌદશને રોજ શરૂ કરી ચૌદ માસની શુદિ ચૌદશે–ચૌદશે શક્તિ પ્રમાણે ઉપવાસ અથવા એકાસણાદિક તપ કરે. અથવા બને દશ લઈને સાત માસે તપ પૂરે કરે. [ આ ચર્તુદશી તપ પણ કહેવાય છે.] અથવા શુદિ ચૌદશને દિવસે આરંભીને લગલગ ચૌદ દિવસ સુધી એકાસણી કરી પૂરો કર. પ્રથમ આગમની સ્થાપના કરવી. વાસક્ષેપથી તેની પૂજા કરવી. જ્ઞાન પાસે નીચે બતાવ્યા પ્રમાણે નિત્ય સાથીયા કરવા, નિત્ય ચૈત્યવંદન કરવું. જ્ઞાનની યથાશક્તિ રૂપાનાણે પૂજા કરવી. જ્ઞાનની પૂજા ભણવવી. સ્તવનને સ્થાને જ્ઞાનની પૂજા કહેવી. (છેલે દિવસે વરઘોડે ચઢાવે.)
ઉદ્યાપન જ્ઞાનપંચમીની પેઠે કરવું. (જુઓ નંબર ૩૬ અથવા ૩૫) વિશેષ એટલું કે, ૧૪ પુસ્તક લખાવીને મૂકવાં.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org