________________
[ ૩૨ ]
*
*
તપાવલિ
૨૦, સર્વસંખ્યા શ્રી મહાવીરતપ.
બાર વરસ, છ માસ તથા અમાસ, આટલો કાળ શ્રી મહાવીર સ્વામી છવસ્થપણે રહ્યા, તે વખતે તેમણે જે તપસ્યા કરી તે આ પ્રમાણે–એક છમાસી તપ, એક બીજું છમાસી તપ પાંચ દિવસ ન્યૂન, નવ ચાતુર્માસી તપ, બે ત્રિમાસિક તપ, બે અઢી માસિક તપ, છ દ્વિમાસિક તપ, બે દેઢ માસિક તપ, બાર માસખમણ, છેતર પક્ષ ખમણ, બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા, દશ દિવસની સભદ્ર પ્રતિમા, બસ એગણત્રીશ ૬, બાર અદૃમ, ત્રણસે ઓગણપચાસ પારણાના દિવસ તથા એક દીક્ષાને દિવસ. સવ મળી બાર વરસ સાડા છ માસ થયા. આ તપ યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા. શક્તિ ન હોય તેણે આ સર્વ તપમાંથી કેઈ પણ તપ શક્તિ તથા કાળને અનુસરીને કરવા. ઉદ્યાપનમાં શ્રી મહાવીરની મોટી સ્નાત્ર વિધિએ સ્નાત્ર કરવાપૂર્વક અષ્ટ પ્રકારી પૂજા કરવી. છ વિગઈના પકવાન્ન, વિવિધ ફળ વિગેરે કવાં. (ગધૂમ મણ ૧, ઘી મણ ને ) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીથકર નામકર્મને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “શ્રી મહાવીર નાથાય નમઃ” એ મંત્રના ગણુણાની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org