SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ * * * કનકાવલી ત૫ * * [ ૩૩ ] ૨૧, કનકાવલી ત૫. તપસ્વીઓના હૃદયને શેભાવનાર હોવાથી આ કનકાવલી નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી છ૬ કરી પારણું કરવું, પછી અદૃમ કરી પારણું કરવું. એ રીતે એક કાહલિકા પૂર્ણ થાય છે, ત્યાર પછી આઠ ૭૬ કરવા, તેથી એક દાડિમ પૂર્ણ થાય છે. ત્યાર પછી એક ઉપવાસ કરી પારણું, બે ઉપવાસ કરી પારણું, ત્રણ ઉપવાસ કરી પારણું એ રીતે અનુક્રમે વધતાં–વધતાં સેળ ઉપવાસ કરી પારણું કરવું. એમ કરવાથી હારની એક લતા ( સેર ) પૂર્ણ થાય છે. ત્યાર પછી ચેત્રીશ છઠ્ઠું કર વાથી તે લતાની નીચે પદક સંપૂર્ણ થાય છે, ત્યારપછી સેળ ઉપવાસ કરીને પારણું, પંદર ઉપવાસ કરીને પારણું, ચૌદ ઉપવાસ કરીને પારણું, એ રીતે પ્રતિમે અનુક્રમે ઉતારતાં-ઉતારતાં એક ઉપવાસ કરીને પારણું કરવું. એમ કરવાથી હારની બીજી લતા ઉત્પન્ન થાય છે. ત્યારપછી આઠ છદ્ર કરવાથી તેની ઉપરનું બીજું દાડિમ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી અદૃમ કરીને પારણું, પછી છઠ્ઠું કરીને પારણું અને પછી એક ઉપવાસ કરીને પારણું કરવું. તેથી ઉપરની બીજી કાહલિકા ઉત્પન્ન થાય છે. અહીં જે ઉપવાસ, છ અને અદૃમ લખ્યા છે તેનું પારણું કરીને તરત બીજે દિવસે જ ઉપવાસદિક કરવા, પણ વચમાં આંતરું પાડવું નહીં આ તપમાં કુલ પારણાના દિવસે ૮૮ થાય છે, તથા ઉપવાસ ૩૮૪ થાય છે, એટલે આ તપ એક વર્ષ, ત્રણ માસ અને બાવીશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy