SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર્ ] * * તપાવલિ = * * ૧૬, તીર્થકર જ્ઞાન તપ. તીર્થકરના જ્ઞાનને અનુકરણ કરનાર તપ, તે જ્ઞાનત૫ કહેવાય છે. તેમાં જે તીથ કરે જે તપ વડે જ્ઞાનને પ્રાપ્ત કર્યું, તે તીર્થકરને આશ્રયીને તે તપ એકાંતરવૃત્તિ વડે કરે. એટલે કે આદિનાથ, મલ્લિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથે અદૃમવડે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તેથી તેમને આશ્રયીને ચાર અદૃમ કરવા, વાસુપૂજ્ય સ્વામીને એક ઉપવાસ વડે કેવળજ્ઞાન થયું તેથી તેને આશ્રયીને એક ઉપવાસ કરે. બાકીના ઓગણીશ તીર્થકરોને ૭૬ વડે કેવળજ્ઞાન થયું તેથી તેમને આશ્રયીને ૧૯ કૂ કરવા. સવ મળી ઉપવાસ એકાવન થાય. તે આંતરે એકાસણુવાળા કરવા. જેથી ૭૪ દિવસે એ તપ પૂર્ણ થાય. તેમાં ર૩ અંતરના ૨૩ એકાસણું સમજવાં. ઉદ્યાપનમાં દીક્ષા તપ પ્રમાણે કરવું, પણ મેદક વિગેરે પ૧ ઢેકવા. આ તપનું ફલ વિશુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ અને શ્રાવકને કરવાનો અનાગાઢ તપ છે. જે તીર્થકરને આશ્રયીને તપ ચાલતું હોય તે પ્રભુના નામની સાથે “સર્વજ્ઞાય નમ: ” એ પદ જોડવું. જેડી નવકારવાળી વીશ ગણવી. સાથિયા વિગેરે બાર-બાર કરવા. ઉપર પ્રમાણે છટૂ-અદૃમ કરવાની પણ શકિત ન હોય તે એકાંતર એકાસણું વડે ૫૧ ઉપવાસ કરવા જેથી ૧૧ દિવસે તપ પૂર્ણ થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy