SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ * * * જિનદીક્ષા તપ * * [ ૨૫ ] ગ્રહણ કરી હોય તે તપ એકાંતરિતની યુક્તિ વડે કરે. એટલે કે સુમતિનાથ સ્વામીએ એકાસણું કરીને દીક્ષા લીધી. તેથી તેમને આશ્રયીને એકાસણું કરવું. વાસુપૂજ્યસ્વામીએ ઉપવાસ કરીને દીક્ષા લીધી તેથી તેને આશ્રયીને ઉપવાસ કરે. પાશ્વનાથજીએ અને મલિનાથજીએ અદૃમ કરીને દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એક એક અદૃમ કરે. બાકીના વીશ તીર્થકરેએ છરૃ કરીને દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એક એક છઠ્ઠ કરે. સવ મળીને ૪૭ ઉપવાસ તથા એક એકાસણું થાય. દરેક પ્રભુ આશ્રયી તપના અંતરમાં એકાસણું કરવું એટલે ૭૦ દિવસે તપ પૂર્ણ થાય. કેમકે અંતરના ૨૩ દિવસમાં એક એકાસણું પાંચમા પ્રભુ આશ્રયી કરવાનું હોવાથી ૨૨ દિવસ આંતરાના થાય. ઉદ્યાપનમાં એકાસણું કરી મોટી સ્નાત્રવિધિએ જિનેશ્વરનું સ્નાત્ર કરી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, છએ વિગઈના પદાર્થો તથા મોદક ૪૮, ફળ ૪૮, વિગેરે પ્રભુ પાસે ઢેકવાં. આ તપ કરવાથી નિર્મળ વ્રતની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને અનાગઢ તપ છે. જે તીર્થકરના નામને તપ ચાલતું હોય તે પ્રભુના નામની સાથે “નાથાય નમ” એટલું પદ જોડી ગણણું વીશ નવકારવાળીનું ગણવું. તથા સાથિયા વિગેરે બાર-બાર કરવા. ઉપર પ્રમાણે છટ્ઠ અક્મ કરવાની પણ શકિત ન હોય તે એકાંતર એકાસણું વડે ૪૭ ઉપવાસ ને એક એકાસણું કરી ૯૪ દિવસે તપ પૂર્ણ કર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy