SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ * * - * અખંડ દશમી તપ * * [ ૧૭૫ ] ૧૫૬, અખંડ દશમી તપ. અખંડિત દશમીને દિવસે જે તપ કરવામાં આવે છે. તેનું નામ અખંડ દશમી તપ કહેવાય છે. તેમાં દશ શુકલ દશમીને દિવસે પિતાની શક્તિ પ્રમાણે એકાસણાદિક તપ કરે. તેથી તે તપ પૂર્ણ થાય છે. (તપને દિવસે અખંડ અન્નનું ભોજન કરવું એટલે કે મુશળ વડે નહિં ખાંડેલા એવા ચેખાનું ભજન કરવું.) ઉદ્યાપને દશ-દશ પકવાન્ન, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે ઢાકવું. અખંડ અક્ષતનું નૈવેદ્ય મૂકવું. અખંડ (નવું) વસ્ત્ર ગુરુને વહેરાવવું. ચૈત્યની ફરતી ઘીની ત્રણ ધારા અખંડ કરવી. ( પ્રભુની પ્રતિમા એક મેરા તાસમાં બિરાજમાન કરી, સવા પાંચ શેર ઘી લઈ તેની અખંડ ધારાવાડી જરા માત્ર પણ ધાર ત્રટે નહિ તે રીતે પ્રતિમાને ફરતી કરવી.) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અખંડ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથી આ વિગેરે બાર-બાર કરવા. ૧૫૭, પત્ર પાલી ત૫. પરલેકને વિષે પાલ જેવું તપ તે પરત્ર પાલી તપ કહેવાય છે. તેમાં શ્રી મહાવીર સ્વામિના કલ્યાણકની સમાપ્તિથી એટલે કે દિવાળીના દિવસથી આરંભીને પ્રથમ ત્રણ ઉપવાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy