SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૬ ] * * તપાવલિ * * * (અદૃમ) કરવા. પછી આંતરા રહિત બત્રીશ નવી કરવી. કેઈના મતમાં દશ ઉપવાસ એકાંતરા કરવાનું પણ કહેવું છે. (જૈન ધમ સિંધુ તથા જૈન પ્રબંધમાં છેલ્લે પણ અમ કર. એમ કહ્યું છે.) આ પ્રમાણે પાંચ વર્ષ સુધી તપ કર. ઉઘાપને દરેક વર્ષે થાળમાં એક સેર લાપશીની પાળ કરી વચ્ચે ઘીથી પૂર્ણ કરી દેવ પાસે ઢાકવી. પાંચ વર્ષને અંતે છેલ્લા ઉદ્યાપનમાં મોટી નાગવિધિપૂર્વક જિનપૂજા કરી ઉપર પ્રમાણે નૈવેદ્ય તથા વિવિધ પ્રકારના પકવાન્ન, ફળ, રૂપાનાણું. વિગેરે દેવ પાસે ઢોકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ પરલોકમાં સદ્ગતિની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. શ્રી મહાવીરસ્વામિ પારંગતાય નમઃ” એ પદની નવકારવાળી વીશ પણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૫૮, કર્મચતુર્થ તપ. કમના ખંડનને માટે જે ચતુર્થ એટલે ઉપવાસ કરે તે કમચતુર્થ તપ કહેવાય છે. તેમાં પ્રથમ ત્રણ ઉપવાસ (અમ) કરીને પારણું કરવું. પછી એકાંતરા સાઠ ઉપવાસ કરવા, પછી છેડે ત્રણ ઉપવાસ (અક્રૂમ) આંતરા રહિત કરવા. એ પ્રમાણે ઉપવાસ ૬૬ તથા પારણાદિન ૬૨ મળી કુલ ૧૨૮ દિવસે આ તપ પૂરે થાય છે. ઉઘાપનમાં મેટી રમાત્ર વિધિપૂર્વક પાનું વૃક્ષ તથા સુવર્ણને કુહાડો કરાવી દેવ પાસે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy