SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ * * ગુણરત્ન સંવત્સર તપ * [ ૧૬૫ ] કરીને થાય છે. છઠ્ઠી શ્રેણિ છ, સાત, આઠ, નવ, દશ, અગીઆર અને પાંચ ઉપવાસવડે થાય છે. તથા સાતમી શ્રેણિ નવ, દશ, અગીઆર, પાંચ, છ, સાત અને આઠ ઉપવાસવડે થાય છે. આ તપના ૩૨ તથા પારણાના દિવસ ૪૯ થાય છે. કુલ આ તપ ૪૪૧ દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાપન ભદ્રતપની પેઠે જાણવું. કેટલાએક આચાર્યો આ ચારે ભદ્રાદિક તપના ઉઘાપનમાં ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, પકવાન્ન વિગેરે ઠેકવાનું કહે છે. આ તપનું ફળ સર્વ પ્રકારની શાંતિ તથા સવ કમનો ક્ષયની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણું વિગેરે તપ નંબર ૧૪૩ પ્રમાણે ગણવું. ૧૪૭, ગુણરત્ન સંવત્સર ત૫. ગુણરૂપ રત્નની પ્રાપ્તિનું કારણ હોવાથી આ ગુણરત્ન તપ કહેવાય છે. (આ તપ શ્રી મહાવીરસ્વામીના શિષ્ય સકંદજીએ આચર્યો હતો.) તેમાં પહેલા માસમાં એક ઉપવાસ અને એક પારણું, એ રીતે પંદર ઉપવાસ અને પંદર પારણા મળીને ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. બીજે માસે બે ઉપવાસને આંતરે પારણા કરવાથી વિશ ઉપવાસ તથા દશ પારણું મળી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. ત્રીજે માસે ત્રણ-ત્રણ ઉપવાસે પારણું કરવાથી ચોવીશ ઉપવાસ તથા આઠ પારણું મળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy