________________
(૮) * * તપાવલિ * *
૫-૬ લઘુઅાહિકા તપદ્ધય. આ આઠ દિવસને તપ હોવાથી અષ્ટહિકા તપ કહેવાય છે આ તપ આધિન અને ચૈત્ર માસની શુકલ અષ્ટમીએ આરંભ કરી પૂર્ણિમાએ પૂર્ણ કર. હંમેશાં પિતાની શકિત પ્રમાણે એકાસણું નીવી, આયંબિલ કે ઉપવાસ કરે. એ પ્રમાણે સાત વર્ષ સુધી કરવું. તપના દિવસોમાં મોટી સ્નાત્રવિધિઓ જિનપૂજા કરવી. ઉદ્યાપનમાં છપ્પન-છપન મોદક ફળ, પુષ્પ વિગેરે વડે દેવપૂજા કરવી. સાધુને દાન દેવું. યથાશકિત સંઘપૂજા કરવી. આ બને તપ દુર્ગતિને નાશ કરનાર છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ( અહીં આશ્વિન અષ્ટાહિકા તપને ચૈત્ર અષ્ટાહિકા તપ એમ બે જુદા જુદા તપ હોવાથી ને વિધિ સરખી હેવાથી તપના નંબર બે ચડાવ્યા છે. ને હકીકત ભેગી લખી છે. )
ગણું વિગેરે અષ્ટકર્મસૂદન તપમાં કહ્યા પ્રમાણે જાણવું. (જીએ તપ નંબર ૭)
૭ અષ્ટમ કર્મસૂદન તપ. આઠ કમને ક્ષય કરવા માટે આ પ્રમાણે તપ કરે -
પહેલે દિવસે ઉપવાસ કર, બીજે દિવસે એકાસણું કરવું, ત્રીજે દિવસે એકસિકથ (એક દાણે) સ્થાનકે ચાવીહાર આયંબિલ કરવું, ચેાથે દિવસે એક અંગી (એકલઠાણુ) એકાસણું ઠામ ચોવિહારવાળું કરવું, પાંચમે દિવસે કામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org