________________
[ ૧૪૬ ] * * તપાવલિ * * * ચાર વાર પાંચ-પાંચ ઉપવાસ કરવા. તેમાં કુલ વીશ ઉપવાસ થાય છે. ઉદ્યાપન યથાશક્તિ કરવું ગણણું “નમે સિદ્ધાણ” પદનું વીશ નકવારવાળીનું ગણવું. સાથીયા વિગેરે પાંચપાંચ કરવા. (આ તપ સમવસરણ તપ પૂરો થયે કરવાની પ્રવૃત્તિ છે.)
- ૧૨૩, સૌભાગ્યસુંદર ત૫.
( જે પ્ર. વિગેરે ) આ તપ એકાંતરા સોળ ઉપવાસ કરવાથી અને પારણે આયંબિલ કરવાથી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. “નમો અરિસ હતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વગેરે બાર-બાર કરવા. ઉઘાપને જ્ઞાનની પૂજા-ભકિત કરવી.
૧૨૪, સ્વર્ગકરંડક [સ્વર્ગ દંડ] તપ
. ( જૈ. .વિગેરે ) આ તપમાં પ્રથમ બાર દેવકને આશ્રયીને બાર એકાસણું કરવાં, પછી નવગ્રેવેયક આશ્રયી નવ નીવી, પછી પાંચ અનુત્તર વિમાન આશ્રયી પાંચ આયંબિલ, છેવટ એક ઉપવાસ–એ રીતે સત્તાવીશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. “નમો અરિહંતાણું” પદની વિશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org