________________
* * .૪ષભદેવ સંવત્સર તપ * [ ૧૩૯ ] કરવા. તે ત્રીજે વર્ષે અક્ષયતૃતીયાને દિવસે પૂર્ણ થાય. (તપ કરતાં વચમાં જે અક્ષય તૃતીયા આવે તે દિવસે ખાધા વાર આવતું હોય તે ઉપવાસ કરે.) છેલે દિવસે દેવગુરુની પૂજાપૂર્વક સંઘવાત્સલ્ય કરી પારણું કરવું. “ શ્રી અષભદેવનાથાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
બીજી રીત–શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ તપ ૩૬૦ ઉપવાસને છે. તેથી તેને આશ્રયીને ૩૬૦ ઉપવાસ એકાંતર પારણુવાળા કરવા, બીજું સર્વ ઉપર પ્રમાણે
હાલમાં આ તપ કરવાને પ્રચાર આ પ્રમાણે છે – ફાગણ વદ ૮ ને દિવસે ઉપવાસથી શરૂ કરી એકાંતરે પારણે બેસણું કરી તેર મહિનાને ૧૧ દિવસે એટલે અખાત્રીજને દિવસે પારણું કરે છે. પારણે ૧૦૮ ઘડા શેરડીના રસને અથવા સાકરના પાણીના પીએ છે. ( ઘડો રૂપાને અતિશય નાને બનાવે છે. )
આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ. તથા ચઉદશને ખાધાવાર ન આવવું જોઈએ, તેમ ત્રણે ચમાસીના (૧૪-૧૫ ના ) છક્ કરવા જોઈએ અને છેવટે છદ્રથી એછે તપે પારણું ન કરવું જોઈએ. પારણે શેરડીને રસ પીવાને છે, તે પણ તાજો જ હોય તે પીવાય. કારણ કે બે પહેર પછી શેરડીનો રસ લઘુપ્રવચનસારેદ્ધારમાં અભક્ષ્ય કહ્યો છે. તેવા રસના અભાવે સાકરના પાણથી પણ ચાલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org