________________
* * * નિજિગીષ્ટ તપ * * [ ૧૩૫ ]
૧૦૦, નિજિગીષ્ટ તપ.
(નં. અ. વિગેરે વિ. પ્ર.) આ તપમાં એક ઉપવાસ ઉપર એક આયંબિલ–એ પ્રમાણે આઠ ઉપવાસ અને આઠ આયંબિલ વડે એટલે સોળ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સેળ મેદક, ફળ વિગેરે દેવ પાસે ઢાંકવા. ( નિરજશિખ અથવા નિરજસિંહ તપ કૃષ્ણપક્ષેજ થાય છે, તેમાં મુખ્યત્વે ગ્લાન સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવાની છે. તેમજ તે તપ પંદર દિવસે પૂર્ણ થાય છે.) “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૦૧, દારિદ્રયહરણ ત૫.
(વિ. પ્ર.) આ તપ પૂર્ણિમાથી શરૂ કરવાનું છે. પ્રથમ દિવસે ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નીવી, એથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે બેસણું, એ પ્રમાણે એક એળી થઈ. બીજી ઓળી પણ એ જ પ્રમાણે કરવી. કુલ દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. પારણે સાધુને દાન આપવું. ઉદ્યાપને જ્ઞાનપૂજા કરવી. “નમે નાણસ્સ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે પ૧ કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org